ગાંધીનગર: ગુજરાતમાં ખેતીની જમીનનો રીસર્વે કરવાનો નિયમ રદ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી પેન્ડિંગ રહેલા ઇસ્યુમાં સરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો. જમીન રી સર્વેમાં મોટા પાયે લોચા થયા હોવાની અનેક ફરિયાદો મળી હતી. ગુજરાત સરકારે જમીન રી સર્વે રદ કરીને નવેસરથી રિ સર્વે કરવાનો નિર્ણય કર્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકાથી રી સર્વેના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ થશે.
Advertisement
Advertisement
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બ્રિફીંગમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય હાથ ધર્યો છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સર્વે પ્રમોલગેશનના ના-વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી . આ અરજીઓ મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાના ધોરણે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાંમ તબક્કાવાર રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ ખુબ જ ઝડપથી આ જમીન માપણા ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે.
Advertisement