નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પીલીભીતના ભાજપના સાંસદ વરૂણ ગાંધી અવાર નવાર પોતાની સરકાર વિરૂદ્ધ બળવો કરતા જોવા મળે છે, જેને લઇને અટકળો લગાવવામાં આવી રહી છે કે વરૂણ ગાંધી જલ્દી ભાજપ છોડીને કોઇ અન્ય પાર્ટીમાં જોડાઇ શકે છે. તાજેતરમાં જ તેમણે હિન્દૂ-મુસ્લિમ સાથે જોડાયેલુ નિવેદન આપ્યુ હતુ. આ પહેલા તેમણે ખેડૂત આંદોલન સમયે ખુલીને ખેડૂતોના પક્ષમાં અવાજ ઉઠાવ્યો હતો.
Advertisement
Advertisement
તાજેતરના દિવસોમાં ચર્ચા છે કે ભાજપના સાંસદ વરૂણ ગાંધી કોંગ્રેસમાં જોડાઇ શકે છે, જેને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ભારત જોડો યાત્રાની આગેવાની કરી રહેલા રાહુલ ગાંધીને સવાલ પૂછવામાં આવ્યો હતો, જેની પર સીધો જવાબ આપવાની જગ્યાએ રાહુલ ગાંદીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
વરૂણ ગાંધી સાથે જોડાયેલા સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યુ કે વરૂણ ગાંધીના પાર્ટીમાં સામેલ થવા કે ના થવાનો સવાલ ખડગેજીને કરો. રાહુલ ગાંધીએ કહ્યુ કે એમ તો ભારત જોડો યાત્રામાં તેમનું અને બધાનું સ્વાગત છે પરંતુ તે ભાજપમાં છે, તેમણે તકલીફ પડશે. વરૂણ અત્યારે ભાજપમાં છે અને પીલીભીતથી લોકસભા સાંસદ છે. કેટલાક મુદ્દા પર વરૂણ ગાંધી કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા રહે છે.
લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત મુશ્કેલ
આ સાથે જ રાહુલ ગાંધીએ કહ્યુ કે તેમની ભારત જોડો યાત્રા સફળ રહી છે અને તેમનું લક્ષ્ય દેશને એક નવો દ્રષ્ટિકોણ આપવાનો છે. પત્રકાર પરિષદ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે જીત મુશ્કેલ હશે અને જમીન પર ભાજપ વિરૂદ્ધ મોટા પાયે સત્તા વિરોધી માહોલ છે.
વરૂણ ગાંધીનું ભાષણ વાયરલ થયુ હતુ
મહત્વપૂર્ણ છે કે વરૂણ ગાંધીનો તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમણે કહ્યુ હતુ કે ના હું કોંગ્રેસ વિરૂદ્ધ છું અને ના તો પંડિત નેહરૂ વિરૂદ્ધ. આપણા દેશની રાજનીતિ દેશને જોડનારી હોવી જોઇએ, ના કે ગૃહયુદ્ધ પેદા કરવાની રાજનીતિ. આપણે તે રાજનીતિ નથી કરવી જે લોકોને દબાવે પણ એવી રાજનીતિ કરવી છે જે લોકોને ઉઠાવે. પોતાના ભાષણમાં વરૂણ ગાંધીએ કહ્યુ કે વર્તમાન સમયમાં માત્ર હિન્દૂ-મુસ્લિમ અને જાતિની રાજનીતિ કરવામાં આવે છે. ભાઇઓ અને વહેચો અને ભાઇઓને મારોની વાત થઇ રહી છે. અમે આ રાજનીતિ નહી થવા દઇએ.
Advertisement