નવસારી: નવસારીમાં વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યૂનર કારના ચાલકને ઝોકુ આવતા લક્ઝરી બસ સાથે ટકરાતા આ દૂર્ઘટનામાં 9 લોકોના મોત થયા હતા જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. ફોર્ચ્યૂનર બસ સાથે ટકરાતા બસના ચાલકને હાર્ટ એટેક આવી ગયો હતો. આ અકસ્માતમાં ફોર્ચ્યૂનરમાં સવાર 9 પૈકી 8 લોકોના તેમજ બસમાં સવાર એક મુસાફરનું મોત થયુ હતુ. જ્યારે 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા તેમણે વધુ સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દૂર્ઘટનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યુ હતુ.
Advertisement
Advertisement
વહેલી સવારે ફોર્ચ્યૂનર કારના ચાલકને ઝોકુ આવી જતા અમદાવાદ તરફ જતા ટ્રેક પરથી કાર સીધી મુંબઇ તરફ ડિવાઇડર કૂદી જતી રહી હહતી. જેને કારણે અમદાવાદ તરફથી આવતી લક્ઝરી બસ સાથે તે ટકરાઇ હતી. આ દૂર્ઘટનામાં ફોર્ચ્યૂનરમાં સવાર 8 લોકોના મોત થયા હતા જ્યારે અન્ય એકને ફ્રેક્ચર થયુ હોવાથી સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે લક્ઝરી બસ સાથે કાર અથડાવવા દરમિયાન બસના ડ્રાઇવરને પણ હાર્ટ એટેક આવ્યો હતો.
બસમાં સવાર 30 લોકોને સામાન્ય ઇજા થતા નવસારી સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે 11 ગંભીર રીતે ઘાયલ લોકોને નવસારીની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસમાં સવાર લોકો વલસાડના કોલક ગામના વતની હતા જે અમદાવાદમાં BAPSના પ્રમુખ સ્વામી નગરના કાર્યક્રમમાંથી વલસાડ પરત ફરતા હતા.
કારમાં સવાર યુવકો અંકલેશ્વરની ખાનગી કંપનીના કર્મચારીઓ
ફોર્ચ્યૂનરમાં સવાર મૃતક યુવાનો અંકલેશ્વરની પ્રો લાઇફ કેમો ફાર્મા કંપનીના કર્મચારી હોવાનું જાણવા મળ્યુ છે. કારમાં સવાર એક ઇજાગ્રસ્તને સુરતની ખાનગી હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોચી ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડ્યા હતા.
PM મોદીએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નવસારી અકસ્માતને લઇને દુખ વ્યક્ત કર્યુ હતુ. પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યુ- નવસારીમાં રોડ અકસ્માતમાં લોકોના મોતથી દુખી છુ. મારા વિચાર શોકગ્રસ્ત પરિવારજનો સાથે છે. મને આશા છે કે ઘાયલ જલ્દી સ્વસ્થ થઇ જશે. PMNRFથી 2 લાખ રૂપિયા દરેક મૃતકના પરિવારજનોને આપવામાં આવશે અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
Advertisement