- છોટુભાઈ વસાવા મારા ગુરુ હતા, છે અને રેહશે, એમણે મને ઘણું શિખવાડ્યું છે: ચૈતર વસાવા
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પર ભાજપ અને ડેડીયાપાડા બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે.ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ એમનું વિજય સરઘસ રાજપીપળામાં નીકળ્યું હતું.દેડીયાપાડા બેઠક પર ભાજપના હિતેશ વસાવા અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા વચ્ચે સીધી ટક્કર હતી.જેમાં ચૈતર વસાવા હિતેશ વસાવાએ સામે 40883 મતોની જંગી લીડથી જીત મેળવી હતી.ચૈતર વસાવાએ કહ્યું હતું કે છોટુભાઈ વસાવા મારા ગુરુ હતા, છે અને રેહશે. જો કે ચૈતર વસાવાને અરવિંદ કેજરીવાલે પરિણામના આગલા દિવસે જ ટેલીફોનીક જીતની શુભેચ્છા આપી દિધી હતી.
Advertisement
Advertisement
આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને 103434 મત અને ભાજપમાં હિતેશ વસાવાને 63151 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસનાં જેરમાંબેન વસાવાને માત્ર 12587 મત મળ્યા હતા.નર્મદા જિલ્લાના ઇતિહાસમાં ચૈતરભાઈ વસાવા 1 લાખથી વધુ મત મેળવનાર અને 40 હજારથી વધુ મતોની લીડ મેળવી જીત મેળવનાર પ્રથમ નેતા બન્યા છે.અગાઉ નાંદોદ બેઠક પર કોંગ્રેસનાં પી.ડી.વસાવાએ 23322 મતે અને 1995 માં ભાજપના મનસુખ વસાવાએ 21237 મતે જીત મેળવી હતી.ચૈતર ભાઈ વસાવાએ એ બંનેવ નેતાઓનો રેકોર્ડ તોડયો છે.
જીત મેળવ્યા બાદ ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે મારી જીત તમામ આદિવાસી સમાજ અને પ્રજાની જીત છે. અમે મોઘવારી, બેરોજગારી સહિત અનેક મુદ્દાઓને લઈને ઘણા આંદોલનો કર્યા એટલે જ પ્રજાએ વિશ્વાસ મુકી મને જંગી બહુમતિથી જીત અપાવી છે.BTP અને ભાજપે ચૂંટણી પેહલા મારી પર ઘણા આક્ષેપો લગાવ્યા હતા.પણ અમારો સમાજ જાગૃત છે, કોઈની પણ ખોટી વાતોમાં આવતો નથી.પ્રજાએ આજે એમને જડબાતોડ જવાબ આપ્યો છે.આવનારા સમયમાં અમે ગુજરાતના તમામ આદિવાસી સમાજને સાથે લઈ આ મૂડીપતિઓની સરકારને અમારા વિસ્તારમાં ઘૂસવા નહિ દઈએ.અમે અમારું જળ, જંગલ, જમીન અને આદિવાસી સંસ્કૃતિને સાચવી રાખીશું. છોટુભાઈ વસાવા રાજનીતીમાં ગુરૂ તરીકે મને ઘણું શિખવાડ્યું છે, એના જ ભાગરૂપે અમે અનેક આંદોલનો કર્યા, લડાઈઓ લડી. એનાં બદોલત આજે મારી જીત થઈ છે.
Advertisement