અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને તમામ રાજકીય દળ પ્રચાર કરી રહ્યા છે. રાજ્યમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસનો રહ્યો છે પણ આ વખતે આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM પણ ચૂંટણી લડી રહી છે અને જોર શોરથી પ્રચાર કરી રહી છે. જમાલપુરમાં એક રેલીને સંબોધિત કરતા ઓવૈસીએ કહ્યુ કે જો મારે નરેન્દ્ર મોદીની ગાડી આગળ ઉંઘવુ પડે તો ઉંઘી જઇશ.
Advertisement
Advertisement
जमालपुर की जनता की फैक्ट्रियों को खुलवाने के लिए अगर मुझे और @SabirKabliwala साहब को @narendramodi की गाड़ी के सामने सोना पड़ा तो हम सो जाएंगे मगर जमालपुर को इंसाफ़ दिलाएंगे। – बैरिस्टर @asadowaisi #AIMIM #VoteForKite #GujaratElection2022 #AsaduddinOwaisi #Gujarat pic.twitter.com/Mbe44XoaNa
— AIMIM (@aimim_national) November 20, 2022
રેલીને સંબોધિત કરતા AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ કે અહી (જમાલપુર)માં ફેક્ટરીઓ બંધ છે. ઓવૈસીએ કહ્યુ કે જો અહી ફેક્ટરી ખોલાવવા માટે મારે અને સાબિર કાબલીવાલા સાહેબને નરેન્દ્ર મોદીની ગાડી સામે ઉંઘવુ પડે તો અમે ઉંઘી જઇશુ પણ જમાલપુરને ન્યાય અપાવીશું.
આપણે સરકાર પાસે કામ લેવાનું છે
ઓવૈસીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે સરકાર પાસે કામ લેવા માટે ટેલેન્ટની જરૂરત છે. અહી 723 આસપાસ ફેક્ટરીઓ બંધ પડી છે. આ વાતનો હું દાવો કરૂ છુ કે હું ફેક્ટરીઓ ખોલાવીશ. ગુજરાતમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી કાલે 17 રેલી કરશે.
Advertisement