ગાંધીનગર: ગુજરાતમાં કોવિડ-19ના કેસોના દૈનિક આંકડામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. ગઈકાલે 176 કેસ નોંધાયા બાદ આજે કોરોનાના નવા કેસ 200ને પાર પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 247 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. મહેસાણામાં પાછલા દિવસો દરમિયાન 2 દર્દીઓ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં અત્યારે એક દર્દીનું મોત થયું છે.
Advertisement
Advertisement
સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત આંકડા અનુસાર, નવા નોંધાયેલા કેસ પૈકી સૌથી વધુ 124 સંક્રમિતો તો માત્ર અમદાવાદ શહેરમાંથી જ સામે આવ્યા છે. તે ઉપરાંત સુરત જિલ્લામાં 23, રાજકોટ જિલ્લામાં 24, વડોદરા જિલ્લામાં 9, અમરેલી જિલ્લામાં 19 તેમજ મોરબી જિલ્લામાં 17 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં દૈનિક કેસની સંખ્યામાં વધારો થતાં એક્ટિવ કેસ વધીને 1064 પર પહોંચી ચૂક્યા છે. 6 દર્દીઓની હાલત ગંભીર હોવાના કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં સારવાર દરમિયાન વધુ 98 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ ઘટીને 99.05 ટકા પર પહોંચી ચૂક્યો છે. સરકારી આંકડા અનુસાર, રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 11,049 લોકોના મોત થયા છે.
Advertisement