હાલોલ: પંચમહાલ જિલ્લાના હાલોલમાં એક કોર્ટે રાજ્યમાં 2002ના ગોધરા કાંડ પછી થયેલા રમખાણ મામલે બે બાળક સહિત 17 લોકોની હત્યાના આરોપી 22 લોકોને પુરાવાના અભાવમાં છોડી મુક્યા છે. બચાવ પક્ષના વકીલ ગોપાલ સિંહ સોલંકીએ કહ્યુ કે જજ હર્ષ ત્રિવેદીની કોર્ટે તમામ 22 આરોપીને છોડી મુક્યા છે જેમાં આઠ લોકોનું ઘટનાની સુનાવણી દરમિયાન મોત થયુ હતુ.
Advertisement
Advertisement
વકીલ ગોપાલ સિંહ સોલંકીએ કહ્યુ, “જિલ્લાના દેલોલ ગામમાં બે બાળક સહિત લઘુમતી સમાજના 17 લોકોની હત્યા અને રમખાણ કેસમાં કોર્ટે પુરાવના અભાવમાં તમામ આરોપીઓને છોડી મુક્યા છે.”
ફરિયાદ પક્ષ અનુસાર, પીડિતોની 28 ફેબ્રુઆરી, 2002ના રોજ હત્યા કરવામાં આવી હતી અને પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી તેમના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યા હતા.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર નજીક ટોળાએ સાબરમતી એક્સપ્રેસની એક બોગીને આગ ચાંપ્યાના એક દિવસ પછી 27 ફેબ્રુઆરી, 2002ના રોજ રાજ્યના વિવિધ ભાગોમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. બોગી સળગાવવાની ઘટનામાં 59 મુસાફરોના મોત થયા હતા, જેમાંથી મોટાભાગના ‘કાર સેવક’ અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા.
દેલોલ ગામમાં હિંસા બાદ હત્યા અને રમખાણો સંબંધિત ભારતીય દંડ સંહિતા (IPC) કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. અન્ય એક પોલીસ ઇન્સ્પેક્ટરે ઘટનાના લગભગ બે વર્ષ પછી નવો કેસ નોંધ્યો હતો અને રમખાણોમાં કથિત સંડોવણી બદલ 22 લોકોની ધરપકડ કરી હતી.
વકીલ ગોપાલ સિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ફરિયાદી પક્ષ આરોપીઓ સામે પૂરતા પુરાવા એકત્ર કરવામાં અસમર્થ હતું અને સાક્ષીઓ પણ ફરી ગયા હતા. બચાવ પક્ષના વકીલે કહ્યું કે પીડિતોના મૃતદેહ ક્યારેય મળ્યા નથી.
પોલીસે નદી કિનારે નિર્જન સ્થળેથી હાડકાં કબજે કર્યા હતા, પરંતુ તે એટલા બળી ગયા હતા કે પીડિતોની ઓળખ થઈ શકી નહતી. પુરાવાઓના અભાવને કારણે, કોર્ટે તમામ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, જેમાંથી આઠ ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યા હતા.
Advertisement