ગાંધીનગર: રેડી ટૂ કુક પરાઠા ખાવાના શૌખીન લોકોએ હવે તેના માટે વધારે પૈસા ખર્ચ કરવા પડશે. ગુજરાતની અપીલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAAR) અનુસાર, રોટલી અને પરાઠામાં ઘણુ અંતર છે માટે રોટલી પર 5 ટકા જ્યારે પરાઠા પર 18 ટકા GST લાગશે. અમદાવાદની કંપની વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝની અપીલ પર આ નિર્ણય આવ્યો છે. વેપાર સાથે જોડાયેલી કંપનીનું કહેવુ છે કે પરાઠા પર વધુ જીએસટી ના લગાવવો જોઇએ કારણ કે બન્ને ઘઉંના આટાથી બને છે.
Advertisement
Advertisement
વાડીલાલ કેટલાક રીતના રેડી ટુ કુક એટલે કે ફ્રોજન પરાઠા બનાવે છે. કંપનીનું કહેવુ છે કે રોટી અને પરાઠામાં વધારે અંતર નથી અને બન્ને આટાથી જ બને છે. આ કારણે પરાઠા પર પણ 5 ટકા જ જીએસટી લગાવવો જોઇએ. કંપનીએ દાવો કર્યો કે પરાઠા અને રોટી બનાવવાની માત્ર પ્રક્રિયા જ સમાન નથી પણ તેનો ઉપયોગ અને ઉપભોગની રીત પણ એક જેવી જ છે. કંપનીની આ દલીલને AAARએ ફગાવી દીધી હતી અને સ્પષ્ટ કર્યુ કે પરાઠા પર 18 ટકા જીએસટી લાગશે.
આ પહેલા ઓથોરિટી ફૉર એડવાન્સ રૂલિંગ્સની અમદાવાદ બેંચે કહ્યુ કે ફ્રોઝન પરાઠા પર 18 ટકા GST લાગશે. તેના વિરૂદ્ધ કંપનીએ AAARમાં અપીલ કરી હતી પરંતુ અપીલેટ ઓથોરિટીએ AAARના નિર્ણયને યોગ્ય ઠેરવતા તેને યથાવત રાખ્યો હતો. ઓથોરિટીનું કહેવુ છે કે વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે પરાઠા બનાવવામાં આવે છે તેમાં 36થી 62 ટકા આટા હોય છે અને તેમાં બટાકા, મૂળા, ડુંગળી સાથે વેજિટેબલ ઓઇલ અને નમક પણ હોય છે. સાદી રોટી અને ચપાતીમાં માત્ર આટા અને પાણી હોય છે. આ સિવાય રોટીને ડાયરેક્ટ ખાવામાં આવે છે અને પરાઠાને ખાધા પહેલા તવા પર સેકવો પડે છે.
Advertisement