નવી દિલ્હી: રાહુલ ગાંધી (Rahul Gandhi)ની ભારત જોડો યાત્રાના જમ્મુ કાશ્મીર પહોચ્યા પહેલા જ કોંગ્રેસે ગુલામ નબી આઝાદની પાર્ટી પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. પૂર્વ ઉપ મુખ્યમંત્રી તારા ચંદ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પીરજાદા સહિત 17 નેતા અને તેમની સાથે હજારો સમર્થક કોંગ્રેસમાં સામેલ થયા છે. 17 મોટા નેતાઓએ દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલય આવીને પાર્ટી જોઇન કરી હતી. થોડા મહિના પહેલા જ કોંગ્રેસ છોડીને ગુલામ નબી આઝાદે પોતાની નવી પાર્ટી ડેમોક્રેટિક આઝાદ પાર્ટી બનાવી હતી.
Advertisement
Advertisement
તારા ચંદ, જે પૂર્વ ઉપ મુખ્યમંત્રી હતા તે પણ આઝાદ સાથે જતા રહ્યા હતા પરંતુ તેમણે પોતાની ભૂલ ગણાવીને તે કોંગ્રેસમાં પરત આવી ગયા છે. સૈદય પીરજાદા, જે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહ્યા છે તેમણે પણ પાર્ટીની માફી માંગીને કોંગ્રેસમાં વાપસી કરી છે. આ મહિને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જમ્મુ કાશ્મીર જવાની છે. કોંગ્રેસે રણનીતિ હેઠળ ફારૂખ અબ્દુલ્લા, મહબૂબા મુફ્તી, કોમ્યુનિસ્ટ નેતા યૂસુફ તારિગામી અને આવામી નેશનલ લીગના મુજ્જફર શાહને યાત્રામાં સામેલ થવા માટે તૈયાર કરીને આઝાદને અલગ કરી દીધા છે.
હવે આઝાદ પાસે ઘાટીમાં મહત્વપૂર્ણ બન્યા રહેવા માટે કોંગ્રેસમાં વાપસી સિવાય કોઇ મોટો વિકલ્પ નથી. તાારચંદે આઝાદ પર સેક્યુલર તાકાતોને નબળી કરવાનો આરોપ લગાવીને તેમની ભાજપ સાથે મિલીભગતના સંકેત આપવાનો આરોપ પણ લગાવ્યો હતો, તેમણે કહ્યુ કે અમને લાગ્યુ કે, સેક્યુલર ફોર્સેસને નબળી કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે, ભૂલ-ભૂલૈયાની તરફ લઇ જવામાં આવી રહ્યા છે તો અમે પરત કોંગ્રેસમાં આવવાનો નિર્ણય કર્યો હતો. કોંગ્રેસે આઝાદની નજીકના નેતાઓની ઘર વાપસી દ્વારા આઝાદને પાર્ટીમાં વગર શરતે પરકત આવવા મજબૂર કરવાની રણનીતિ બનાવી છે. જોકે, હજુ ગુલામ નબી આઝાદ પોતાના વલણ પર યથાવત છે.
Advertisement