ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમા એક સાથે 17 આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યમાં રેન્જ ઉપરાંત ઇન્ટેલિજન્સ, ક્રાઇમ અને વિવિધ શહેરના મળીને કુલ 17 આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
Advertisement
Advertisement
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં IPS અધિકારીઓની બદલીની રાહ જોવામાં આવતી હતી. દિવાળીના દિવસે જ રાજ્યમાં 17 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સુરત રેન્જ DIG તરીકે પિયૂષ પટેલ, વડોદરા રેન્જમાં DIG તરીકે સંદીપ સિંઘ, ભાવનગર રેન્જના DIG તરીકે ગૌતમ પરમાર, જૂનાગઢ રેન્જના DIG તરીકે મયંક સિંહ ચાવડા, રાજકોટ રેન્જના DIG તરીકે અશોક યાદવને મુકવામાં આવ્યા છે.
ડી.એચ.પરમારને સુરત શહેર ટ્રાફિકના JCP બનાવવામાં આવ્યા છે.. એમ.એસ.ભરાડાને અમદાવાદ સેક્ટર-2ના JCP બનાવાયા છે. એ.જી.ચૌહાણની અમદાવાદ ટ્રાફિક JCP તરીકે બદલી કરવામાં આવી છે. નીરજ બડગુજરની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. બડગુજરને અમદાવાદ સેક્ટર-1ના JCP બનાવવામાં આવ્યા છે. અજય ચૌધરીને અમદાવાદ સ્પેશ્યલ બ્રાંચના JCP બનાવવામાં આવ્યા છે. સૌરભ તોલંબિયાને રાજકોટ એડમિન, ટ્રાફિક, ક્રાઇમ ACP બનાવવામાં આવ્યા છે. ખુરશીદ અહમદની ADGP પ્લાનિંગ અને આધુનિકરણમાં બદલી કરવામાં આવી છે.
અમદાવાદમાં IPS અધિકારીઓની બદલી
રાજ્યમાં એક સાથે 17 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદના સેક્ટર વન- ટુ સહિત ભાવનગર રેન્જ, રાજકોટ રેન્જ અને સુરત રેન્જના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદમાં સેક્ટર 1 તરીકે નીરજ બડગુજર અને સેક્ટર 2 માં એમએસ ભરાડાની નિમણૂક કરવામાં આવી છે.
Advertisement