દરેક બાળકમાં કોઇના કોઇ સ્વરૃપે આંતરિક શક્તિ રહેલી હોય છે. બાળકને વાળીએ તેટલું વળે તે કહેવત જાણે સાહિલ માટે સાચા અર્થમાં બેસે છે. પર્યાવરણને થઇ રહેલા નુકસાનને લઇને સેવ સોઇલ મુવમેન્ટ જરૃરી બન્યું છે ત્યારે પર્યાવરણની જાગૃતિના મેસેજ સાથે કલકત્તાના રહેવાસી એવા૧૫ વર્ષીય સાહિલ ઝા સેવ સોઇલ મુવમેન્ટને લઇને છેલ્લાં અગિયાર મહિનાથી કલકત્તાથી સાયકલ યાત્રા શરૃ કરી હતી. સાયકલ યાત્રાને લઇને સાહિલ ઝા કહે છે કે, છેલ્લાં ઘણાં વર્ષોમાં લોકોએ પોતાની સુખાકારીને લઇને સોઇલ (માટી)ને ઘણું નુકસાન કર્યું છે. ફળદ્રુપ માટીમાંથી રણીકરણની પ્રક્રિયા થાય છે તેનાથી ઘણું નુકસાન થઇ રહ્યું છે. ૧૦૦ વર્ષ પહેલાં એક ફળ ખાવાથી વ્યકિતને જે પોષકતત્વો મળતા હતા તે આજે તેનાથી દસ ઘણા ફળ ખાવાથી મળે છે. માટીને જે પ્રકારે નુકસાન થઇ રહ્યું છે તેને લીધે તેમાં થતા દરેક પાકને નુકસાન થઇ રહ્યું છે. ખેતીના પાકમાં પણ રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ થાય તો માટીને થતા નુકસાનમાં ઘણી રાહત મળી શકે છે. દરેક રાજ્યના લોકોનો ઘણો સપોર્ટ મળી રહ્યો છે. મારી વયના બીજા ઘણાં યુવાનો પણ આ ફિલ્ડમાં જોડાયા છે જેનાથી મને ઘણી ખુશી છે. સુક્ષ્મ જીવો માટીન ફળદ્રુપતા જાળવવા માટે ખૂબ જરૃરી છે અને તેનો વિનાશ થવાથી પ્રકૃતિના સંતુલનમાં અડચણ ઊભી થઇ શકે છે. છેલ્લાં ૧૧ મહિનામાં કલકત્તાથી શરૃ કરીને ઝારખંડ, ઓરિસ્સા, આંધપ્રદેશ, તમિલનાડુ, કેરલા, કર્ણાટકા, મહારાષ્ટ્ર, ગુજરાત થઇને હાલ રાજસ્થાનમાં પહોંચ્યો છું, જેમાં અત્યાર સુધીમાં દસ હજાર જેટલું કિ.મી.અંતર કાપીને અમદાવાદના સ્ટુડન્ટ્સ સાથે ચર્ચા કરી હતી. લોકોને ઓડિયો-વિઝ્યુલ ફાઇલ બતાવીને માટીનું જાળવણી કરવા માટેની પ્રેરણા આપી રહ્યો છું.
Advertisement
Advertisement
Advertisement