વેરાવળના જાણીતા ડો. અતુલ ચગના આત્મહત્યા કેસમાં 66 દિવસ પછી હાઈકોર્ટના આદેશથી હવે વિધિવત્ ફરીયાદ નોંધાશે. સુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતાનું નામ હતું.
Advertisement
Advertisement
ડો.અતુલ ચગ આપઘાત કેસમાં ડો. અતુલ ચગના પુત્ર હિતાર્થે પોલીસ વિરુદ્ધ કોર્ટમાં પોલીસ ફરિયાદ ન નોંધતા હોવાની અરજી આપી હતી.
ડો.અતુલ ચગે સુસાઇડ લેટરમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમાને લઈને આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. જેમાં વેરાવળ પોલીસ ફરિયાદ ન નોંધતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. પોલીસે ફરિયાદ ન નોંધતા ડો. અતુલ ચગના પુત્ર હિતાર્થે હાઇકોર્ટમાં કંટેમ્પ્ટ અરજી દાખલ કરી હતી. ડો. અતુલ ચગ પાસેથી સાંસદ અને તેમના પિતાએ 1.75 કરોડ રૂપિયા લઈને પરત ન આપ્યા હોવાનો અગાઉ ખુલાસો પણ થયો હતો.
ગુજરાત હાઈકોર્ટમાં આજે 2 કલાકથી વધુ સમય દલીલો ચાલી હતી. પીઆઈ સિવાયના અન્ય પક્ષકારોએ જવાબ રજૂ ન કરવા અને ખાનગી વકીલ ન રોકવા પર અરજદારે વાંધો ઉઠાવ્યો હતો. અરજદારના વકીલે જણાવ્યું હતું કે, 12 ફેબ્રુઆરીના રોજ આ ઘટના બની અને એ જ દિવસે સુસાઈડ નોટ મળી હતી. 17 ફેબ્રુઆરીના ડો.ચગના પુત્રએ લેખિત ફરિયાદ આપી હતી. તેમ છતાં હજુ પણ તપાસ ચાલુ જ હોવાની વાત પોલીસ કરી રહી છે અને FIR નોંધવામાં આવી નથી.
વેરાવળ એસટી રોડ પર કાવેરી હોટલ પાછળ હોસ્પિટલ ધરાવતા નામાંકિત એમ.ડી. ફિઝીશયન ડો. અતુલ ચગે રાત્રીના સમયે સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વેરાવળમાં આ બનાવ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.સુસાઇડ નોટમાં એક જ લીટીમાં રાજેશ ચુડાસમા તથા નારણભાઇના કારણે આત્મહત્યા કરતો હોવાનું જણાવાયું હતું.
Advertisement