રામનવમી નિમિત્તે ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસાને કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે ભાજપે સાસારામમાં સમ્રાટ અશોકની જન્મજ્યંતી પર આયોજિત કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો હતો. આ કાર્યક્રમમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહ પણ ભાગ લેવાના હતા, પરંતુ શહેરમાં કલમ-144 લાગુ કરવા અને ઈન્ટરનેટ સેવા ખોરવાઈ જવાને કારણે ભાજપે કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે તેઓ નવાદામાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.
એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપા અગ્રણીએ જણાવ્યું કે, અમારો કાર્યક્રમ થવાનો હતો ત્યાં કલમ 144 લાગુ કરાઈ છે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપવાના હતા. આ સંદર્ભે તેઓ પટના પણ આવી રહ્યા છે, પરંતુ કલમ 144 લાગુ થવાને કારણે અમારે કાર્યક્રમ સ્થગિત કરવો પડ્યો છે.
Advertisement
Advertisement
Advertisement