અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલી નાગજી ભુદરની પોળમાં રહેતા મીનાક્ષીબહેન શાહના ઘરે કૂવો છે તેમાં રહેલા શુદ્ધ પાણીનો સેવાપૂજામાં ઉપયોગ કરે છે તેમ મીનાક્ષીબહેન શાહ કહે છે.
તેઓ કહે છે કે, આ કૂવો ૧૦૦ વર્ષથી પણ વધારે જૂનો કૂવો છે. આ કૂવામાં માત્ર વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવતો અને ત્યારપછી પરિવારના સભ્યો તે પાણીનો નિયમિત વપરાશ કરતા હતા. પહેલાંના સમયમાં પોળના દરેક મકાનમાં આવા કૂવા હતા, જેમાં હાલ માત્ર આ એક જ કૂવો છે.
વરસાદના સમયે અમે આ કૂવામાં પાણીનો સંગ્રહ કરતા હતા પણ છેલ્લાં ૫૦ વર્ષથી અમે કૂવામાં પાણીનો ઉમેરો કર્યો નથી તેમ છતાં કૂવામાં પાણી રહેલું છે. પાણી અને વાણી વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઇએ. આ કૂવાના પાણી અમતૃ જેવું છે જેને લીધે માત્ર પૂજા પાઠમાં વપરાશ માટે આપવામાં આવે છે. ઘણો સમય થયો છતાં આ વરસાદી પાણીની શુદ્ધતા સારી છે.
શુદ્ધ વાતાવરણ, પૂરતો સુર્યપ્રકાશ અને દરેક લોકો એકબીજા સાથે હળીમળીને રહે તે માટે પોળના દરેક મકાન તૈયાર કરવામાં આવ્યા હતા અને આજે પણ પોળના બધા લોકો એકબીજાના સાથ સહકારથી જીવન જીવે છે. ૧૦૦ વર્ષ પછી કૂવામાં રહેલા પાણીમાં લીલ થઇ નથી કે પાણીનો રંગ અને સ્વાદ પણ બદલાયો નથી.
કૂવામાં જીવજંતુ કે બહારની કોઇ વસ્તુ અંદર પડે નહીં તેવી ડિઝાઇનથી ઢાંકવા માટેનું પાત્ર તૈયાર કરાયું હતું. આ કૂવો પથ્થર અને ચૂનાની મદદથી બનાવવામાં આવતા હતા. કૂવામાં રહેલું વરસાદી પાણીનો દરેક લોકો સંગ્રહ કરે અને તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાથી ઘણી બિમારીઓથી રાહત થઇ શકે છે.
પાણીને જરૂરિયાત મુજબ કરવો સાતે નવી પેઢીને પણ પાણી માટે લોકજાગૃતિના કાર્યમાં જોડીને પાણીનું જતન કરવામાં સહભાગી બનાવવા જોઇએ.
Advertisement
Advertisement
Advertisement