આપણી ઊંઘ કેટલી હોવી જોઈએ એ પ્રશ્ન આજકાલ સામાન્ય છે. આજના મોબાઈલ અને કોમ્પ્યુટરના જમાનામાં મોટા ભાગના લોકોની ઊંઘ હરામ થઈ રહી છે. આજથી ચાળીસ વર્ષ પહેેલાં જે ઊંઘની ગુણવત્તા હતી તે હવે રહી નથી. આનું મુખ્ય કારણ તો સ્ટ્રેસ છે.
Advertisement
Advertisement
કેટલી ઊંઘ હોવી જોઈએ ?
એક રીતે જોવા જઈએ તો સરેરાશ વ્યક્તિના મન અને શરીરને સંપૂર્ણ આરામ મળે એ માટે 6 કલાકની ઊંઘ પર્યાપ્ત છે. વધુ પડતી ઊંઘ પણ સ્ટ્રેસની નિશાની છે. જ્યારે ઓછી ઊંઘ તો સ્પષ્ટ રીતે સ્ટ્રેસની સ્થિતિ સૂચવે છે. આપણું શરીર એક ચોક્કસ પ્રકારે મધ્યમ રીતે વધુ સારી રીતે કામ કરી શકે છે જેમાં વધુ પડતી ઊંઘ લેવાથી શરીરમાં આળસ કે તંદ્રા કે ઓબેસિટી વધારી શકે છે.
રાત્રે કેટલા વાગે સૂવું જોઈએ ?
આ પણ આજના સમયની સળગતી સમસ્યા છે. મોટા ભાગના લોકો મોડા સૂવાના કારણે સારી ઊંઘ માણી શક્તા નથી. સામાન્ય રીતે રાત્રા 9 થી 10 વાગ્યા સુધીમાં સૂઈ જવાથી ધીમે ધીમે અડધી રાત્રે આપણું મન ઊંડી ઊંઘનો અહેસાસ કરે છે. જેના કારણે સમગ્ર શરીરને આરામ મળે છે.
પૂરતી ઊંઘ અને આપણું સ્વાસ્થ્ય
આપણાં શરીરને પૂરતી ઊંઘ મળવાથી હૃદય, કિડની, મગજ, આંતરડાને પણ આરામદાયક કાર્યશૈલીમાં ઢળવાનો મોકો મળે છે. પરીણામે બ્લડપ્રેશર, સુગર લેવલ, ચામડી, લોહીનું શુદ્ધીકરણ, કોલેસ્ટ્રોલ ઈત્યાદીમાં સુંદર સંતુલન દેખાય છે. પૂરતી ઊંઘ લેવાથી આંખની આસપાસ કુંડાળા પડતા નથી. વધુ ઊંઘ લેવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ જળવાઈ રહે છે.
કેટલી ઊંઘ કરતા કેવી ઊંઘ વધુ મહત્ત્વની છે ?
ઘણીવાર આપણે લાંબી ઊંઘને મહત્ત્વ આપીએ છીએ પરંતુ ખરા અર્થમાં જોવા જઈએ તો લાંબી કરતા ગહેરી ઊંઘનું મહત્ત્વ વિશેષ છે. જો તમે અડધા જ કલાકમાં કે ઓછા સમયમાં ઊંઘો છો તો તે ગહેરાઈ શરીરને વધુ આરામ આપે છે. સુગર અને બીપીની તકલીફવાળા વ્યક્તિઓની ઊંઘની ગુણવત્તા એક સામાન્ય વ્યક્તિ કરતાં ઓછી હોય છે.
સારી ઊંઘ માટે શું કરવું જોઈએ ?
સારી ઊંઘ માટે મનની પ્રસન્નતા પણ જરૂરી છે. સાથે શરીરની ફીટનેસ પણ અગત્યની છે. રોજ અડધોથી એક કલાકની એક્સરસાઈઝ ઉપરાંત મેડિટેશન અને સારા કાર્યો આપણને સારી ઊંઘમાં મદદ કરે છે. દુષ્કર્મો કે અકુશલ કર્મોથી પણ મન અને શરીરની સ્થિતિ બગડવાથી તેની સીધી અસર ઊંઘ પર પડે છે. સતત વધુ પડતાં કામ, ગુસ્સાવાળો સ્વભાવ, લાલચવૃત્તિ અને વ્યાકૂળતાઓ પણ આપણી ઊંઘ અને માનસિક શાંતિ પર સીધી અસર કરે છે.
તો આજના વર્લ્ડ સ્લીપ ડે પર આપ સૌને સારી ઊંઘ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
Advertisement