World Heart Day 2022: દેશના યુવાઓમાં વધતા હાર્ટ એટેક અને કાર્ડિયક એરેસ્ટના કેટલાક કેસ પાછલા વર્ષોથી ચિંતાનો વિષય બન્યા છે. દિલની વધતી બિમારીઓએ આપણા સામે એક મોટો પ્રશ્ન ઉભો કરી દીધો છે કે આવું કેમ થઈ રહ્યું છે? શું છે ભારતીયોમાં વધતા હાર્ટ એટેક અને કાર્ડિયક એરેસ્ટના પાછળના કારણ ?
Advertisement
Advertisement
પહેલા માનવામાં આવતું હતુ કે આ રોગ ખાસ કરીને મોટી ઉંમરના લોકોને જ થાય છે. પરંતુ હવે તેવું વિચારવું ખોટું સાબિત થઈ રહ્યું છે. ઓછી ઉંમરના લોકો પણ દિલ સાથે જોડાયેલી બિમારીઓના શિકાર થઈ રહ્યાં છે.
હાર્ટ સ્પેશ્યાલિસ્ટ જણાવે છે કે આ સમસ્યા વધવા પાછળનું કારણ શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાશે
ભારતીય યુવાઓમાં વધતા હાર્ટ એટેક
ભારતના લોકોમાં અન્ય દેશોની સરખામણીમાં હાર્ટની બિમારી ઉંમરના એક દશકા પહેલા જ શરૂ થઈ જાય છે. યંગ અર્બન ઈન્ડિયન્સ (યુવા ભારતીય)માં તણાવ એટલે સ્ટ્રેસ હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ બનતું જઈ રહ્યું છે.
હાર્ટ એટેકના કેસોમાં તે આપણે તે બાબતનો ખ્યાલ રાખવો જરૂરી છે કે જો તમે 50 વર્ષની ઉંમર પાર ચૂકેલા ભારતીય છો તો તમારામાં હાર્ટની સમસ્યાનું જોખમ 20 ટકા છે.
તે પાછળ ખરાબ લાઈફસ્ટાઈલ અને અન્ય બિમારીઓ હોઈ શકે છે.
હાર્ટ એટેક આવવાનો કોઈ નિશ્ચિત નિયમ બનેલો નથી. બની શકે છે કે પ્રથમ હાર્ટ એટેકે જ જીવ લઇ લે. અનેક વખત લોકોને ખ્યાલ પણ આવતો નથી કે ક્યારે તેમને ઓછી ગંભીરતાવાળું હાર્ટ એટેક આવીને જઈ ચૂક્યો હોય છે.
યુવાઓમાં દિલની બિમારીના વધવાના મુખ્ય કારણ
મોટા ભાગના હાર્ટ એટેક કોરોનરી આર્ટરીઝમાં પ્લેક (કચરો) જમા થવો અથવા બ્લડ ક્લાટ્સના કારણે આવે છે. આ બ્લોક્સ વર્ષોથી આપણા હાઈ કોલેસ્ટ્રોલવાળા આહાર, ખાસ કરીને સેચ્યુરેટેડ ફેટવાળા ખાદ્ય પદાર્થોથી બની રહ્યાં હોય છે. જેમ ઘી, બટલ, લાલ માંસ..
આ પણ વાંચો : આજથી બે દિવસ ‘મોદીમય ગુજરાત’: અમદાવાદ મેટ્રો, ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે
વર્ષો સુધી પ્લાક જમા થતાં રહે છે અને એક દિવસ અચાનક બ્લોકેજ બની જાય છે. કારણ તેમાંથી કંઈ પણ થઇ શકે છે. સ્ટ્રેસ, તંમાકુનું વધારે સેવન અથવા કોઈ બિમારી, જેમ કે ડાયાબિટીશ..
બ્લોકેજને કારણે ધમનીઓમાં અવરોધ પેદા થાય છે, જેના કારણે હાર્ટ એટેક આવે છે.
કોઈ-કોઈ વ્યક્તિમાં શરૂઆતના લક્ષણો દેખાઇ શકે છે અને ના પણ દેખાય. મોટી સંખ્યામાં લોકોને હાર્ટ એટેક થયા પછી ખ્યાલ આવે છે કે તેમને હાર્ટની સમસ્યા છે. પરંતુ કેટલાક લોકોનું શરીર પહેલા જ ચેતવણી આપવા લાગે છે.
હાર્ટ એટેકના લક્ષણો
- જ્યારે હૃદયરોગનો હુમલો આવે છે, ત્યારે છાતીમાં દબાણ અથવા પીડા અનુભવાય છે.
- હાથ, ગળા, પેટના ઉપરના ભાગમાં પણ દબાણ અનુભવાઈ શકે છે
- પરસેવો આવે છે
- શ્વાસ લેવામાં તકલીફ પડે
- ગભરામણ થાય
- ચક્કર આવે
- નબળાઈ અનુભવાય
- ઘણી વખત ઘણા દર્દીઓને એસિડિટી-ગેસ, ઉલ્ટી પણ થાય છે
હાર્ટ એટેકના કારણ
જેમ કે આજકાલ આપણે સાંભળીએ છીએ કે ભારતમાં 30-40 વર્ષની ઉંમરથી જ લોકોને હાર્ટ એટેક આવવાના શરૂ થઇ જાય છે. હાર્ટના દર્દીઓમાં 40 ટકા દર્દી ડાયાબિટીશના પણ શિકાર હોય છે. ખરાબ લાઈફસ્ટાઈલ આ બિમારીને આપણા શરીરમાં પ્રવેશ કરાવવાનો મુખ્ય કારણ બનતો જઈ રહ્યો છે.
હાર્ટ એટેકના કેટલાક મુખ્ય કારણો છે-
- તણાવ
- ખરાબ જીવનશૈલી
- ડાયાબિટીસ
- ધૂમ્રપાન
- હાઈ બ્લડ પ્રેશર
- વધેલું કોલેસ્ટ્રોલ
- શારીરિક કસરતનો અભાવ
- સ્થૂળતા (મોટાપો)
હાર્ટ એટેક આવવા પર શું કરશો?
કેટલાક લોકોને ખ્યાલ આવતો નથી કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. તે સમયે તેમને એસીડીટી અથવા ગેસનો દુખાવો લાગે છે. જો તેઓ તે વખતે કોઈ ટેસ્ટ કરાવતા નથી તો તેમને ખ્યાલ પણ આવતો નથી. તો કેટલાક લોકોને સાઈલેન્ટ હાર્ટ એટેક પણ આવે છે, જેમાં દુખાવો થતો નથી. ખાસ કરીને ડાયાબિટીશ દર્દીઓમાં અથવા વૃદ્ધ મહિલાઓમાં.
- હાર્ટ એટેક આવશે તો શું કરશો?
- એસ્પિન (Aspirin)ની ટેબલેટ ચાવવા માટે આપો
- સ્ટેટિન ટેબલેટ (Statin tablet) આપો
- ઝડપીમાં ઝડપી નજીકની હોસ્પિટલમાં લઈ જાઓ
બચાવ માટે કઇ ઉંમરથી અને કઈ સાવધાની રાખવી જોઈએ?
જેટલી ઝડપી સાવધાની રાખવાનું શરૂ કરી દો તેટલું સારૂ છે. સૌથી પહેલા લાઈફસ્ટાઈલમાં સુધારો કરો. હેલ્થી લાઈફસ્ટાઈલ આપણી આદત બની જવી જોઈએ ના કે તેને બળજબરૂપૂર્વક અપનાવવી જોઈએ.
બાળકોને શરૂથી જ સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાની વાત સમજાવો. આવું કરવાથી હેલ્થી લાઈફસ્ટાઈલ તેમની આદતમાં સામેલ થઈ જશે.
- પૌષ્ટિક-સંતુલિત ખાવાનું ખાઓ
- સ્ટ્રેસ ઓછામાં ઓછો લો
- દારૂ અને સિગરેટથી દૂર રહો
- પોતાના બ્લડ પ્રેશર, બ્લડ શુગરના લેવલ અને કોલેસ્ટ્રોલને સામાન્ય રાખો
- ફિજિકલ એક્સરસાઈઝ કરો
- મોટાપાથી બચો
- મેડિટેશન, બ્રીધિંગ એક્સરસાઈઝ અને યોગ કરો
- વાર્ષિક મેડિકલ ચેકઅપ કરાવતા રહો
Advertisement