પટણા: બિહારમાં 7 જાન્યુઆરી એટલે કે શનિવારથી જાતિગત જનગણના શરૂ થઇ ગઇ છે. પટણામાં ડીએમ ચંદ્રશેખર સિંહે જનગણનાની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને જણાવ્યુ કે લોકોમાં તેને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેમણે કહ્યુ કે જનગણનામાં સામેલ ટીમ લોકોના કેટલાક ડેટા કલેક્ટ કરશે.
Advertisement
Advertisement
નીતિશ સરકાર પોતાના ખર્ચે કરાવી રહી છે જાતીય જનગણના
પટણાના જિલ્લા અધિકારીએ જણાવ્યુ કે યોગ્ય જાતિની જાણકારી મળી શકે તેની માટે પણ કેટલીક જરૂરી જોગવાઇ કરવામાં આવી છે. સાથે જ આર્થિક સ્થિતિની જાણકારી પણ મેળવવામાં આવશે. મુખ્યમંત્રી નીતિશ કુમારે જાતિગત જનગણના રાજ્યના ખર્ચા પર કરાવવાનો નિર્ણય કર્યો છે.
નીતિશ કુમાર લાંબા સમયથી જાતિગત જનગણના કરાવવાની વાત કરી રહ્યા હતા. લાલૂ યાદવની પાર્ટી આરજેડી અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પણ જાતિય જનગણનાને લઇને અભિયાન ચલાવી રહ્યા હતા. ભાજપ અને જેડીયૂની સરકાર દરમિયાન પણ બિહારના વર્તમાન ડેપ્યુટી સીએમ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે પણ તે સતત જાતિગત જનગણનાની વાત કરી રહ્યા હતા, તેને લઇને સર્વદળીય બેઠક પણ બોલાવવામાં આવી હતી જેમાં રાજ્યમાં જાતિગત જનગણના કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કેન્દ્રના ઇનકાર બાદ નીતિશ સરકારે Caste Censusનો નિર્ણય કર્યો
શરૂઆતમાં તમામ રાજકીય પાર્ટીઓએ તેને કેન્દ્ર સરકારના ખર્ચા પર કરાવવાનો નિર્ણય કર્યો હતો, જેને લઇને તેજસ્વી યાદવ સહિત બિહારના કેટલાક દળના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. કેન્દ્ર સરકાર તરફથી રજા ના મળ્યા બાદ બિહાર સરકારે પોતાના ખર્ચા પર જાતિગત જનગણના શરૂ કરી છે. આ તબક્કામાં પટણામાં માત્ર 2000000 લોકોની જનગણના કરવામાં આવશે, જેમાં લોકોને તેમની આર્થિક, શૈક્ષણિક અને સામાજિક જાણકારી પણ લેવામાં આવશે.
જાતિગત જનગણનાનું પ્રથમ તબક્કાનું કામ શરૂ
બિહારમાં જાતિગત જનગણાના પ્રથમ તબક્કાનું કામ શરૂ થઇ ગયુ છે. 5.18 લાખથી વધુ કર્મચારી 2 કરોડ 58 લાખ 90 હજાર 497 પરિવારો સુધી પહોચશે. પ્રથમ તબક્કામાં સાતથી 21 જાન્યુઆરી સુધી તમામ ઘરની ગણના થશે. ત્યા રહેતા પરિવારના પ્રમુખનું નામ નોંધવામાં આવશે અને પરિવારના તમામ સભ્યોની જાણકારી રજિસ્ટરમાં નોંધવામાં આવશે.
બીજા તબક્કામાં શું થશે
બીજા તબક્કામાં એકથી 30 એપ્રિલ સુધી જાતિની ગણના સહિત 26 પ્રકારની જાણકારી લોકો પાસેથી લેવામાં આવશે. રાજ્યની બહાર રહેતા લોકોના નામ પણ નોંધવામાં આવશે. સામાન્ય તંત્ર વિભાગે આ મામલે તમામ કલેક્ટરને આદેશ મોકલી દીધા છે. મહત્વપૂર્ણ છે કે આગામી 15 દિવસ સુધી મકાનો પર સંખ્યા અંકિત કરવાનું કામ કરવામાં આવશે.
જાતિ આધારિત ગણનાની મુખ્ય વાતો
-
સૌથી પહેલા મકાનોની ગણતરી થશે
-
તમામ મકાનોને એક યૂનિક નંબર આપવામાં આવશે
-
એક મકાનમાં જો બે પરિવાર અલગ અલગ રહેતા હશે તો તેમનો અલગ-અલગ નંબર હશે
-
એક એપાર્ટમેન્ટના તમામ ફ્લેટના અલગ અલગ નંબર આપવામાં આવશે
-
જાતિ ગણના ફોર્મ પર પરિવારના પ્રમુખની સહી જરૂરી હશે
-
રાજ્યની બહાર નોકરી કરવા ગયેલા પરિવારના સભ્યોની જાણકારી પણ આપવી પડશે
-
જાતિ ગણનામાં ઉપ જાતિની ગણતરી નહી થાય
-
એક ફેબ્રુઆરીથી પરિવારોની આર્થિક સ્થિતિની જાણકારી ભેગી કરવામાં આવશે
-
રાજ્યમાં ઉપલબ્ધ સુવિધાઓની પણ જાણકારી મેળવવામાં આવશે જેમ કે રેલ્વે લાઇન, તળાવ, સ્કૂલ, દવાખાનું વગેરે…
-
ગણના કાર્યમાં લાગેલા કર્મચારીઓ પાસે આઇકાર્ડ હશે, તેની પર બિહાર જાતિ આધારિત ગણતરી 2022 લખેલુ હશે.
Advertisement