ગુજરાત એક્સક્લૂઝિવ: રામાયણ, વિજયાદશમી અથવા દિવાળીનો ઉલ્લેખ થવા પર આપણા મનમાં સૌથી પહેલા વિચાર રામ અને રાવણ પછી યુદ્ધમાં રામ દ્વારા રાવણના અંતનો આવે છે. પરંતુ વાસ્તવમાં શાસ્ત્રોમાં રાવણને એક દૈત્ય, રાક્ષસ, અત્યાચારીથી આગળ વધીને અન્ય પણ અનેક નામોથી દર્શાવવામાં આવ્યા છે. રાવણને મહાન વિદ્વાન, પ્રકાંડ પંડિત, મહાજ્ઞાની, રાજકીય નિષ્ણાત, પરાક્રમી યોદ્ધા અને ખૂબ જ શક્તિશાળી જેવા નામોથી બોલાવવામાં આવ્યા છે. રામાયણમાં ઉલ્લેખ છે કે રામે પણ એકવાર રાવણને ‘મહા વિદ્રાન’ (તેમના જ્ઞાનની દ્રષ્ટિએ મહાન બ્રાહ્મણ) કહીને સંબોધિત કર્યા હતા.
Advertisement
Advertisement
રામાયણમાં રાવણને ઋષિ વિશ્વવાના સંતાન તરીકે દર્શાવવામાં આવ્યા છે પરંતુ તેમની માતા કૈકસી ક્ષત્રીય રાક્ષસ કૂળના હતા. તેથી તેમને બ્રહ્મરાક્ષસ કહેવામાં આવે છે. રાવણ રાક્ષસી અને ક્ષત્રીય બંને ગુણો સાથે ખુબ જ બળવાન અને ખુબ જ મોટા શિવભક્ત હતા. રાવણનો જન્મ મહાન ઋષિ વિશ્રવા (વેસમૂન) અને તેમના પત્ની દેત્ય રાજકુમારી કૈકસીના ઘરે થયો હતો. તેમનો જન્મ દેવગણમાં થયો હતો કેમ કે તેમના દાદા ઋષિ પુલસ્ત્ય બ્રહ્માના દસ માનસ પુત્રોમાંથી એક હતા. તે સાત મહાન ઋષિયોના સમૂહ જેને સપ્તર્ષિ કહેવામાં આવે છે, તેમાંથી એક સભ્ય હતા. કૈકસીના પિતા અને રાક્ષસોના રાજા સુમાલી (સુમાલયા)ની ઈચ્છતા હતી કે તેમની પુત્રીના લગ્ન દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ સાથે થાય તેથી તેનાથી એક અસાધારણ સંતાનનું જન્મ થાય.
રાવણના જન્મની શું છે સ્ટોરી
તેમને પોતાની પુત્રી માટે આવેલા વિશ્વના મોટા-મોટા રાજાઓના પ્રસ્તાવને ઠૂકરાવી દીધો કેમ કે તેઓ બધા તેમની ઓછા શક્તિશાળી હતી. કૈકસીએ તે પછી ઋષિઓમાં પોતાના માટે વરની શોધ કરી અને અંતે વિશ્રવા ઋષિને લગ્ન માટે પસંદ કર્યા તેમનો એક કુબેર નામનો પુત્ર પણ હતો. રાવણે પાછળથી પોતાના પિતરાઇ ભાઈ કુબેર પાસેથી લંકા પડાવી લીધી અને તેનો રાજા બની ગયો.
રાવણના બે ભાઈ વિભીષણ અને કુંભકર્ણ હતા. (કેટલાક સ્ત્રોતોમાં અહિરાવણ નામનો એક ભાઈ હોવાનો પણ ઉલ્લેખ છે). તેમની માતાના કૂલના સંબંધ મારીચ અને સુબાહૂ દૈત્ય પરિવાર સાથે હતો. કૈકસીએ એક પુત્રીને પણ જન્મ આપ્યો હતો, જેનું નામ ચંદ્રમુખી (ચંદ્રમા જેવા ચહેરાવાળી છોકરી) હતું, જે પછી રાક્ષસી શૂર્પણખાના નામથી ઓળખાઇ હતી.
પિતાના સાનિધ્યમાં વેદ અને યુદ્ધ કલામાં થયા વિદ્રાન
પિતા વિશ્રવા પોતાના પુત્ર રાવણને આક્રામક અને અભિમાનીની સાથે-સાથે એક અનુકરણીય (ઉદાહરણરૂપ અથવા જેનો કોઈ બીજો ઉદાહરણ ના મળે) વિદ્રાન કહેતા હતા. વિશ્રવાના સંરક્ષણમાં રાવણે વેદો, પવિત્ર ગ્રંથો, ક્ષત્રયોનું જ્ઞાન અને યુદ્ધકલામાં મહારથ મેળવી હતી. રાવણ એક ઉત્કૃષ્ટ વીણા વાદક પણ હતા અને તેમના ધ્વજના ચિન્હ પર વીણાનું ચિત્ર પણ જોવા મળે છે. રાવણ રાક્ષસોની નૈતિકતાને બનાવી રાખે તેથી રાવણના નાના સુમાલીએ અથાગ પ્રયાસ કર્યો.
રામાયણમાં વર્ણન છે કે રાવણનો યદુઓના ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ સંબંધ હતો જેમાં દિલ્હીના દક્ષિણમાં મથુરા શહેરથી લઈને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનના કેટલાક ભાગ સામેલ હતા. એવું માનવામાં આવે છે કે રાવણનો સંબંધ લવનાસુર સાથે પણ હતો જે મધુપુરા (મથુરા)નો એક રાક્ષસ હતો. લવનાસુરને રામના સૌથી નાના ભાઈ શત્રુધને માર્યો હતો.
યદુ ક્ષેત્રમાં નર્મદાના તટ પર એક વખત ભગવાન શિવની પૂજા કર્યા પછી રાવણને સૌથી મહાન યદુ રાજાઓમાંથી એક રાજા કાર્તવીર્ય અર્જુનના સિપાહીઓએ પકડી લીધો અને તેને ઘણા બધા દિવસો સુધી પોતાની કેદમાં રાખ્યો. રામાયણના સંદર્ભોમાં ખુબ જ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે રાવણ સંપૂર્ણ રીતે મનુષ્યો અથવા પછી અસુર જેવો નહતો. રાવણ તે બંને કરતાં પણ વધારે ચઢીયાતો હતો.
શિવની તપસ્યા
પોતાની શરૂઆતી શિક્ષા પછી રાવણે અનેક વર્ષો સુધી શિવની ખુબ જ ઉગ્ર તપસ્યા કરી. તપસ્યા દરમિયાન રાવણે શિવને પ્રસન્ન કરવા માટે બલિદાનના રૂપમાં પોતાના માથાને 10 વખત કાપ્યું. દરેક વખત તે પોતાના સરને ધડથી અલગ કરતો હતો, ત્યારે એક નવું સર તેના ધડ પર આવી જતું હતુ અને તેના કારણે તેને પોતાની તપસ્યા પૂર્ણ કરી અને અંતમાં ભગવાન શિવે તેમની તપસ્યાથી પ્રસન્ન થઇને તેને વરદાન આપ્યું. રાવણે ભગવાન શિવ પાસે અમરતા (સદા અમર રહેવાનું વર) માંગ્યું જેને શિવે આપવાથી ઇન્કાર કરી દીધો પરંતુ રાવણને અમરતાનું દિવ્ય અમૃત આપ્યું. આ વરનો અર્થ હતો કે જ્યાર સુધી રાવણ જીવિત રહેશે ત્યાર સુધી તેને પરાસ્ત કરી શકાશે નહીં.
રાવણે અહંકારમાં પોતાના વરદાનમાં નશ્વર મનુષ્યોને છોડીને દેવતાઓ, રાક્ષસો, સાંપ અને જંગલી જાનવરોથી હાનિ ના થવાનો વર માંગ્યો, જેનો અર્થ હતો કે આ બધી પ્રજાતિઓ તેને કોઈ નુકશાન પહોંચાડી શકે નહીં. આ કારણ છે કે પાછળથી મનુષ્યના રૂપમાં જન્મ લઈને રામે રાવણનો અંત આણ્યો. શિવે તેને તેના બધા કપાયેલા 10 માથાઓ ઉપરાંત અનેક દિવ્ય શસ્ત્ર અને અનેક પ્રકારની ચમત્કારી શક્તિ આપી. આ કારણે રાવણને દશમુખ અને દશાસન કહેવામાં આવ્યો.
આવી રીતે રાવણ બન્યો લંકાનો રાજા
આ વરદાનો મેળવ્યા પછી રાવણે પોતાના દાદા સુમાલીની શોધ કરી અને પોતાની શક્તિનો વિસ્તાર કરવા માટે સેનાનું નેતૃત્વ કરવા લાગ્યો. તે પછી રાવણની નજર લંકા પર પડી અને તેના પર કબ્જો જમાવવાની કોશિશ શરૂ કરી દીધી.
લંકા એક ખુબ જ સુંદર અને રમણીય શહેર હતું જેને શિવ અને પાર્વતી માટે વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવ્યું હતું. પાછળથી ઋષિ વિશ્રવાએ લંકામાં યજ્ઞ પછી શિવ પાસેતી દક્ષિણામાં માંગી લીધું. તે પછી કુબેરે પોતાના પિતરાઇ માં કૈકેસી દ્વારા રાવણ અને પોતાના અન્ય ભાઈ-બહેનોને સંદેશ પહોંચાડ્યો કે વે લંકા તેમના પિતા વિશ્રવા યાનિ તે બધાની થઈ ગઈ છે. પરંતુ પાછળથી રાવણે લંકાને બળપૂર્વક છીનવી લેવાની ધમકી આપી, તે પછી તેમના પિતા વિશ્રવાએ કુબેરને સલાહ આપી કે લંકા રાવણને આપી દો કેમ કે રાવણ હવે અપરાજય છે.
રાવણે લંકા પર કબ્જો કર્યો હતો પરંતુ તે એક ઉદાર અને પ્રભાવી શાસકના રૂપમાં ઓળખાતો હતો. તેના શાસનમાં લંકામાં એવો તો વિકાસ થયો કે, સૌથી ગરીબ લોકોના ઘરોમાં પણ ખાવા-પીવા માટે સોનાના વાસણો હતો અને તેમના રાજ્યમાં ભૂખ જેવી કોઈ ચીજ નહતી.
ભગવાન શિવનો પરમ ભક્ત
લંકા પર વિજય પછી રાવણ શિવને મળવા માટે કૈલાશ પર્વત પહોંચ્યા. શિવના વાહન નંદીએ રાવણને અંદર જવા દેવા ઇનકાર કરી દીધો. તેનાથી તે નારાજ થઇ ગયો અને નંદીને ગુસ્સો કરવા લાગ્યો. તે પછી નંદી પણ ક્રોધિત થઇ ગયો અને રાવણને શ્રાપ આપ્યો કે લંકાને એક વાનર નષ્ટ કરી દેશે. નંદી સામે શિવ પ્રતિ પોતાનો પ્રેમ બતાવવા માટે રાવણે કૈલાશ પર્વતને ઉઠાવી લીધો અને કહ્યું કે તે શિવ સહિત આખા કૈલાશ પર્વતને લંકા લઈ જશે.
રાવણના ઘમંડથી ક્રોધિત થઈને શિવે તેમના પગની સૌથી નાની આંગળી કૈલાશ પર મૂકી દીધી જેથી કૈલાસ પર્વત તેના સ્થાને પાછો સ્થાપિત થઇ ગયો પરંતુ આ દરમિયાન રાવણના હાથ પર્વત નીચે દબાઇ ગયો અને આખા પર્વતનો ભાર રાવણના હાથ ઉપર આવી ગયો. આ પીડાના કારણે તે દ્રવિ ઉઠ્યો. તેને તરત જ પોતાની ભૂલ સમજાઇ. તે પછી રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પોતાની નશોને તોડીને તેને તારની જેમ સંગીત બનાવ્યું અને શિવની મહિમાના ગુણગાણ ગાવા લાગ્યો.
આ રીતે રાવણે શિવ તાંડવ સ્ત્રોત રચી દીધો. તે પછી શિવે રાવણને ક્ષમા કરી દીધો અને તેમની ભક્તિથી ખુશ થઇને તેને દિવ્ય તલવાસ ચંદ્રહાસ આપી. કહેવામાં આવે છે કે આ ઘટના દરમિયાન જ શિવ દ્વારા તેને રાવણ નામ આપવામાં આવ્યું જેનો અર્થ ‘ઉંચી ગર્જન’ કેમ કે રાવણનો હાથ જ્યારે પર્વત નીચે આવ્યો તો તેના રડવાથી પૃથ્વી કાંપી ઉઠી હતી. રાવણ તે પછી ભગવાન શિવનો આજીવન ભક્ત બની ગયો હતો.
આવી રીતે રાવણ બન્યો ત્રણેય લોકોંનો વિજેતા
રાવણની ક્ષમતા અને શક્તિ વાસ્તવમાં વિસ્મયકારી હતી. રાવણે અનેક વખત મનુષ્યો, દેવતાઓ અને રાક્ષસો પર વિજય પાપ્ત કર્યો હતો. પાતાળલોક સંપૂર્ણ રીતે જીતીને પોતાના ભાઈ અહિરાવણને ત્યાંનો રાજા બનાવી દીધો. તે ત્રણેય લોકોમાં બધા અસુરોનો સર્વોચ્ચ અધિપતિ બની ગયો. કુબેરે એક વખત રાવણની તેની ક્રૂરતા અને લાલચ માટે ટીકા કરી જેનાથી તે ખુબ જ નારાજ થઈ ગયો. ભાઈના આ અપમાન પછી તે સ્વર્ગ તરફ વધ્યો અને દેવતાઓ સાથે યુદ્ધ કરીને તેમને પરાજય કર્યા. રાવણે દેવો, મનુષ્યો અને નાગો પર જીત અર્જિત કરી. રામાયણમાં રાવણના બધા મનુષ્યો અને દેવતાઓ પર વિજેતાના રૂપમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અનેક જગ્યાએ તેને સૂરજનો ઉદય અને અસ્ત કરવાની શક્તિ રાખનારના રૂપમાં પણ વર્ણિત કરવામાં આવ્યો છે.
ગુજરાત એક્સક્લૂઝિવ તરફથી બધા જ વાંચક મિત્રોને દશેરાની શુભેચ્છાઓ
Advertisement