વૉશિંગ્ટન: આર્થિક મંદીનો સમય ચાલી રહ્યો છે. તાજેતરના દિવસોમાં આખી દુનિયામાં કેટલીક ટેક કંપનીઓમાંથી કર્મચારીઓને બહાર કરવાના સમાચાર આવી રહ્યા છે. ગૂગલ અલ્ફાબેટ (google alphabet) અને માઇક્રોસૉફ્ટ (Microsoft) જેવી મોટી કંપનીઓએ તાજેતરમાં 10 હજાર કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, 20 જાન્યુઆરીએ ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ (Sundar Pichai)એ પોતાના કર્મચારીઓને એક ઇમેલ મોકલ્યો હતો જેમાં કહેવામાં આવ્યુ કે વર્કફોર્સને ઓછી કરવા માટે ગૂગલ પોતાની કંપનીઓની અલગ અલગ બ્રાંચમાંથી 12 હજાર કર્મચારીઓની છટણી કરશે.
Advertisement
Advertisement
છટણીનો આ સમય એવો છે કે દરરોજ કોઇને કોઇ કંપની કર્મચારીઓને કાઢવાનો નિર્ણય કરી રહી છે. એક ડેટા અનુસાર, ‘ભારત સાથે જ વૈશ્વિક સ્તર પર દરરોજ 3 હજાર કર્મચારીઓની નોકરી જઇ રહી છે, આવનારા સમયમાં આ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે, કારણ કે કેટલીક મુખ્ય ટેક કંપનીઓએ મોટી સંખ્યામાં છટણીની જાહેરાત કરી છે.’ એવામાં સવાલ ઉભો થાય છે કે અંતે કંપનીઓ આ કર્મચારીઓની છટણી કેમ કરી રહી છે અને તેનાથી ભારતના લોકો પર કેટલી અસર પડશે?
કોણે છે નોકરી જવાનો સૌથી વધુ ખતરો
કૉન્ટ્રાક્ટ પર કામ કરનારાઓ માટે મુશ્કેલી: પટણા યૂનિવર્સિટીના અર્થશાસ્ત્રી પ્રોફેસર વિનયે કહ્યુ કે ટેક કંપનીઓ માટે આ વર્ષ સારૂ નથી રહેવાનું. ગ્લોબલ મંદીની શક્યતા વચ્ચે કેટલીક કંપનીઓ પોતાના કર્મચારીઓને નોકરીમાંથી બહાર કરશે. નોકરી જવાનો સૌથી વધુ ખતરો કૉન્ટ્રાક્ટ પર કામ કરનારા કર્મચારીઓને હોય છે કારણ કે તેમણે અસ્થાઇ રીતે પોતાની જરૂરતના હિસાબથી રાખવામાં આવે છે. એવામાં કંપની જ્યારે પણ નાણાકીય રીતે મુશ્કેલીમાં ફસાય છે તો કૉન્ટ્રાક્ટ પર કામ કરનારા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવે છે.
છટણી કેમ કરવામાં આવી રહી છે
મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગે પોતાની કંપનીમાં 11,000 કર્મચારીઓની છટણીનું કારણ મોટી સંખ્યામાં નોકરી આપવાને જણાવ્યુ છે. એક્સપર્ટ અનુસાર કોરોના દરમિયાન મોટાભાગના કર્મચારી બીમાર પડતા હતા, તેની અસર કામ પર ના પડે માટે કેટલીક કંપનીઓએ મોટી સંખ્યામાં લોકોને કામ પર રાખ્યા હતા. આ સિવાય લૉકડાઉનમાં કેટલીક કંપનીઓએ પોતાની ડિઝિટલ માર્કેટિંગને પણ વધારી હતી, માટે કેટલાક લોકોને રાખવામાં આવ્યા હતા.
લૉકડાઉનમાં ઓનલાઇન કામની વધતી ડિમાન્ડને કારણે જરૂરતથી વધુ લોકોને રાખવામાં આવ્યા હતા. હવે માર્કેટમાં ઘટાડો થયો તો કંપનીઓ તેને બેલેન્સ કરવા માટે લોકોને કાઢી રહી છે. કંપનીની વધતી આર્થિક મંદી વચ્ચે પોતાના ખર્ચને ઓછો કરવા માટે પણ સતત છટણી કરી રહી છે.
પહેલા લૉકડાઉન અને વર્ક ફ્રૉમ હોમને કારણે કોમ્પ્યૂટર અને લેપટોપ સેગમેન્ટના વેચાણમાં પણ જોરદાર ઉછાળો આવ્યો હતો પરંતુ હવે આ માર્કેટ ડાઉન થઇ રહ્યુ છે.
વૈશ્વિક મંદી મોટુ કારણ
વૈશ્વિક મંદી પણ છટણીનું સૌથી મોટુ કારણ માનવામાં આવી રહ્યુ છે. કોરોના મહામારીએ દુનિયાની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી હતી. હવે રશિયા-યૂક્રેન જંગને કારણે પણ અર્થવ્યવસ્થામાં ડિમાન્ડ અને સપ્લાયમાં ભારે ઉતાર ચઢાવ આવ્યો છે. આ યુદ્ધની વધુ અસર ચીન, બ્રિટન, અમેરિકા, ભારત અને જાપાન પર પણ પડી છે.
2023માં કેટલી છટણી થઇ
વર્ષ 2023 જાન્યુઆરી મહિનાથી લઇને અત્યાર સુધી 166 ટેક કંપનીઓએ 65,000 કરતા વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા છે. માઇક્રોસૉફ્ટના 10 હજાર કર્મચારીઓની છટણી પહેલા એમેઝોને 1000 ભારતીય કર્મચારી સહિત ગ્લોબલી કુલ 18 હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા છે.
2022માં 154,336 કર્મચારીઓની નોકરી ગઇ
છટણી ટ્રેકિંગ સાઇટ Layoffs.fyiમાં બતાવવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ 2022માં 1 હજાર કરતા વધુ કંપનીઓએ પોતાની કંપનીમાંથી 154,336 કર્મચારીઓની છટણી કરી હતી. જોકે, 2022થી વધુ નવા વર્ષના પ્રથમ મહિનામાં જ કર્મચારીઓને કાઢવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ ભારતની સ્ટાર્ટઅપ રહી છે. જેનું એક મોટુ ઉદાહરણ સ્ટાર્ટઅપ કંપની શેરચેટ છે જેને પોતાની કંપનીના 20 ટકા અથવા 500 કર્મચારીઓની છટણી કરી છે.
ભારતમાં આ કંપનીઓએ પણ છટણી કરી
-
IT સેક્ટરની મોટી કંપની વિપ્રોએ તાજેતરમાં પોતાના 400થી વધુ નવા કર્મચારીઓની છટણી કરી છે.
-
ફૂડ ડિલીવરી એપ સ્વિગીએ 380 કર્મચારીઓની છટણી કરી છે
-
MediBuddy ડિઝિટલ હેલ્થ કેર કંપનીએ પોતાના કુલ વર્કસ્પેસના 8 ટકા કર્મચારી એટલે કે 200 લોકોને નોકરીમાંથી કાઢ્યા છે.
-
ઓલાએ 200 કર્મચારી, Dunzoએ 3 ટકા અને Sophosએ 450 કર્મચારીઓની છટણી કરી છે.
Advertisement