નવી દિલ્હી: કોરોના વાયરસને કારણે ફેફ્સાની બીમારીના દર્દી જ નહી પણ હાર્ટના દર્દીની સંખ્યામાં પણ વધારો થયો છે. કોરોના વાયરસની અસર હાર્ટ પર આવતા ભારતમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. 40 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિ શિકાર બની રહ્યા છે. હદય સબંધિત રોગ અને બીમારીઓમાં વધારો થતા તબીબોમાં ચિંતા જોવા મળી રહી છે.
Advertisement
Advertisement
હાર્ટ સ્પેશ્યાલિસ્ટ અને મેદાંતા હૉસ્પિટલના ડૉક્ટર કહે છે, કોરોનાએ માણસની નસો પર પણ અસર કરી છે, જેને કારણે નસોમાં સોજો, જેને બળતરા પ્રતિક્રિયા કહેવામાં આવે છે તે નસોને બ્લોક કરવામાં વધારો કરે છે.
વેક્સીનથી હાર્ટ એટેક માત્ર અફવા
હદય રોગના જાણકાર અને મેદાંતા હૉસ્પિટલના ડૉક્ટર તેમજ પદ્મશ્રી અને પદ્મભૂષણથી સમ્માનિત ડૉ. નરેશ ત્રેહાને ચર્ચા કરી હતી. ડૉક્ટરે કહ્યુ કે કોરોનાએ વિશ્વભરમાં જીવનને અસ્ત-વ્યસ્ત કર્યુ છે. અત્યાર સુધી કોરોના વાયરસની નેગેટિવ ઇફેક્ટ વિશે વૈજ્ઞાનિક પુરી રીતે તપાસ કરી શક્યા નથી. કોરોનાને કારણે માત્ર ફેફ્સા જ નહી પણ નસો અને હાર્ટ પર પણ ગંભીર અસર પડી છે, જેને કારણે કોવિડના દર્દી ડાન્સ અને એક્સરસાઇઝ કરતા સમયે અચાનક હાર્ટ એટેક આવતા મોતનો શિકાર બની રહ્યા છે.
ડૉ. ત્રેહાન કહે છે કે કોવિડ વેક્સીન લેવાને કારણે હાર્ટ એટેક કે હદયના દર્દીની સંખ્યામાં વધારો થયો છે, આ વાત માત્ર અફવા છે. આ જરૂર નક્કી છે કે વેક્સીન ડોઝ લેનારા કોરોનાથી બચેલા રહેશે.
યુવાઓને કેમ આવી રહ્યો છે હાર્ટ એટેક?
આજના યુવાઓની ખરાબ લાઇફસ્ટાઇલ નાની ઉંમરમાં તેમણે હદયના રોગી બનાવી દે છે. આવી કેટલીક ઘટનાઓ છે જેમાં યુવાઓનું અચાનક મોત થયુ તે પણ હાર્ટ એટેકને કારણે. ચોકાવનારી વાત આ છે કે હાર્ટ એટેકની આ પરેશાની તે યુવાઓમાં થઇ રહી છે જેમણે ના તો બ્લડપ્રેશરની સમસ્યા છે અને ના તો ડાયાબિટિસ છે. હાર્ટ એટેક જેવી બીમારીથી બચવા માટે તેની પાછળા કારણ ખબર હોવી જરૂરી છે જેને કારણે તમે તેનાથી બચી શકો.
Silent heart Attackથી બચવા માટે કરો આ કામ
યુવાઓએ પોતાના સ્વાસ્થ્યને લઇને જાગૃત થવાની જરૂર છે. સમય સમય પર બ્લડપ્રેશર, શુગર અને કોલેસ્ટ્રોલની તપાસ કરાવતા રહો. જો તમને એસિડિટીને કારણે છાતીમાં દુખાવો કે પરેશાની થાય છે તો તેને નજરઅંદાજ ના કરો અને ડૉક્ટરની સલાહ લો. જો તમે હાર્ટના દર્દી છો તો ડાયટનું ખાસ ધ્યાન રાખો. ડાયટમાં હેલ્થી ફૂડ્સને સામેલ કરો. દરરોજ એક્સરસાઇઝ કરો જેથી તમારી બૉડી ફિટ રહે. નશીલી વસ્તુ જેમ કે દારૂ અને સિગારેટની ટેવથી દૂર રહો.
શું કહે છે હાર્ટ એટેકના આંકડા?
એક રિપોર્ટ અનુસાર ભારતમાં હાર્ટ એટેકથી મૃતકોમાં 10માંથી 4ની ઉંમર 50 વર્ષથી ઓછી છે. 10 વર્ષમાં ભારતમાં હાર્ટ એટેકથી થતા મોતની સંખ્યા આશરે 75% વધી ગઇ છે. અમેરિકાના એક રિસર્ચ જનરલમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2015માં ભારતમાં હાર્ટ સાથે જોડાયેલી બીમારીના આંકડા 6.2 કરોડ હતા, જેમાંથી 2.3 કરોડ લોકો એવા હતા જેમની ઉંમર 40 વર્ષથી ઓછી હતી.
હાર્ટ એટેકના લક્ષણ
- બેચેની થવી
- બન્ને હાથમાં દુખાવો થવો
- જડબુ, ગળા કે પીઠમાં દુખાવો
- મન અશાંત રહે અને ચક્કર આવે
- સતત પરસેવો થવો
Advertisement