ચેન્નાઇ: તમિલનાડુની રાજનીતિમાં અમ્મા અને ચિનમ્માની મિત્રતાનું ઉદાહરણ આપવામાં આવતુ હતુ. અમ્મા એટલે કે પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા અને ચિનમ્મા એટલે તમિલ રાજનીતિનો એક કદાવર ચહેરો શશિકલા. ચિનમ્મા જયલલિતાની સૌથી ખાસ સહેલી હતી પરંતુ જયલલિતાની આ ખાસ સહેલી પર તેના મોત બાદ ગંભીર આરોપ લાગ્યા છે.
Advertisement
Advertisement
જયલલિતાના મોતની પરિસ્થિતિની તપાસ કરી રહેલા કમિશને શશિકલા તરફ ઇશારો કર્યો છે અને ગંભીર આરોપ લગાવ્યા છે.
જયલલિતાએ શશિકલાને બહારનો રસ્તો કેમ બતાવ્યો
તપાસ કમિશને પોતાના 475 પાનાના રિપોર્ટમાં 4 વ્યક્તિઓ પર આંગળી ઉઠાવી છે. જેમાં શશિકલા, મેડિકલ ડૉક્ટરના એસ શિવકુમાર, પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સી વિજય ભાસ્કર અને તત્કાલીન સ્વાસ્થ્ય સચિવ જે રાધાકૃષ્ણન સામેલ છે. કમિશને તેમના વિરૂદ્ધ તપાસની માંગ કરી છે. તપાસ પેનલે કહ્યુ કે આ ઘણુ સ્પષ્ટ હતુ કે ” શંકા પર જ જયલલિતાએ શશિકલાને પોતાના પોએસ ગાર્ડન નિવાસ (નવેમ્બર 2011થી માર્ચ 2012 સુધી) બહાર મોકલી દીધી હતી.
બાદમાં શશિકલા પાસેથી તેના વિશ્વાસની ચિઠ્ઠી મળ્યા બાદ તે રાજનીતિમાં દખલ નહી આપે, જયલલિતાએ તેને પોએસ ગાર્ડનમાં આવવાની પરવાનગી આપી હતી, તેમ છતા જયલલિતાએ શશિકલા સાથે એક અંતર જાળવી રાખ્યુ હતુ.
સાક્ષીના નિવેદનનો હવાલો આપતા પેનલે કહ્યુ કે આ અનુમાન લગાવી શકાય છે કે કેટલાક તણાવપૂર્ણ સબંધોને કારણે જયલલિતાએ શશિકલા અને તેના સબંધીઓને પોએસ ગાર્ડન છોડવા માટે કહ્યુ હશે. મહત્વપૂર્ણ છે કે 2016માં બીમાર થયા બાદ જયલલિતા 75 દિવસ સુધી ચેન્નાઇની એપોલો હૉસ્પિટલમાં દાખલ રહ્યા હતા, તેમણે 22 સપ્ટેમ્બર 2016એ એપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરો અનુસાર જયલલિતાનું નિધન 5 ડિસેમ્બર 2016માં રાત્રે 11.30 વાગ્યે ચેન્નાઇની એપોલો હૉસ્પિટલમાં થયુ હતુ.
જયલલિતાના મોતના સમયની પરિસ્થિતિની તપાસ માટે તત્કાલીન સરકારે જસ્ટિસ એ અરૂમુગાસ્વામીની આગેવાનીમાં એક કમિશનની રચના કરી હતી. આ કમિશનના રિપોર્ટને તમિલનાડુ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.
તપાસ કમિશને હોસ્પિટલ પર આંગળી ઉઠાવી છે. કમિશને આપત્તિ જયલલિતાના મૃત્યુને લઇને કરી છે. આ સિવાય ભલામણ કરવામાં આવેલી સર્જરી પર અમલ ના કરવા અને વિદેશણાં તેમની સારવાર કરાવવાનું સમર્થન ના કરવાને લઇને છે.
ભલામણ છતા સર્જરી ના કરવામાં આવી
એપોલોમાં સારવાર દરમિયાન અમેરિકાના એક કાર્ડિયો સર્જન ડૉ. સમીન શર્માએ જયલલિતાને એક મહત્વની કાર્ડિયો સર્જરી કરાવવાની સલાહ આપી હતી. ડૉક્ટર અનુસાર આ સર્જરી તેમના જીવ બચાવવા માટે જરૂરી હતી. ડૉ. શર્માએ 25 નવેમ્બર 2016માં જયલલિતાની તપાસ કરી હતી ત્યારે જયલલિતા ભાનમાં હતા અને તેમણે સર્જરી કરાવવા માટે તૈયારી પણ દર્શાવી હતી. જોકે, આ સર્જરી કરવામાં આવી નહતી. આવુ ત્યારે થયુ જ્યારે બ્રિટનના એક ડૉક્ટરે કહ્યુ કે સર્જરીની જરૂર નથી. તપાસ કમિશને આશ્ચર્ય વ્યક્ત કર્યુ કે જ્યારે ડૉ. શર્મા સર્જરી કરવા તૈયાર હતા તો બ્રિટનથી ડૉક્ટર લાવવાની કેમ જરૂર પડી હતી.
હૉસ્પિટલના ડૉક્ટરોએ રમી ચાલ
એજન્સીના રિપોર્ટ અનુસાર આ પરિસ્થિતિને જોતા તપાસ કમિશન આ નિષ્કર્ષ પર પહોચ્યુ કે હૉસ્પિટલના ડૉક્ટરોએ એક ચાલ રમી હતી અને એન્જિયોગ્રાફીને બાયપાસ કરી દીધી જેથી શક્તિના કેટલાક કેન્દ્રને કન્વીસ કરી શકાય. આ વચ્ચે એક ડૉક્ટરે વિચાર આપ્યો કે સર્જરીને ટાળી શકાય છે.
શશિકલાના કહેવા પર ડૉક્ટર આગળ વધતા હતા
તપાસ કમિશનનું કહેવુ છે કે શશિકલા એકમાત્ર વ્યક્તિ હતી જેને ડૉક્ટર સંપર્ક કરી રહ્યા હતા અને સલાહ લઇ રહ્યા હતા. કમિશન અનુસાર એપોલો હૉસ્પિટલના ડૉક્ટર સારવાર દરમિયાન શશિકલાની પરવાનગી બાદ જ સારવારની પ્રક્રિયાને આગળ વધારતા હતા.
આ પણ વાંચો: જય શાહના નિવેદન બાદ પાકિસ્તાનની ‘કડક નિર્ણય’ લેવાની ધમકી, વર્લ્ડ કપમાંથી ખસી જવા વિચારણા
શંકાના ઘેરામાં ડેથની ટાઇમિંગ
તપાસ કમિશને જયલલિતાના મોતની ટાઇમિંગ પર ગંભીર સવાલ ઉભા કર્યા છે અને તપાસના નિષ્કર્ષ પણ તેની વ્યાપક અસર ગણાવી છે. જયલલિતાના મોતનો ઓફિશિયલ સમય 5 ડિસેમ્બર 2016માં 11.30 વાગ્યે રાતનો બતાવવામાં આવ્યો છે પરંતુ તપાસ કમિશે પેરામેડિકલ સ્ટાફના નિવેદનના હવાલાથી કહ્યુ કે તેમાં વ્યાપક વિસંગતી છે. નર્સ, ટેકનિશિયન અને ડ્યૂટી પરના ડૉક્ટરોએ આ સ્પષ્ટ કહ્યુ કે જયલલિતાને 4 ડિસેમ્બર, 2016માં બપોર પછી 3.50 વાગ્યા પહેલા કાર્ડિક ફેલિયોર થયો હતો અને તેના હદયમાં કોઇ ઇલેક્ટ્રિક એક્ટિવિટી નહતી થઇ રહી અને ના તો બ્લડ સર્કુલેશન થઇ રહ્યુ હતુ.
રિપોર્ટ અનુસાર જયલલિતાને CPR મોડા આપવામાં આવ્યુ હતુ. દાવો કરવામાં આવ્યો કે તેને 4.20 મિનિટ પર CPR આપવામાં આવ્યુ હતુ. જેનાથી ખબર પડે છે કે 4 ડિસેમ્બર 2016માં બપોરે 3.50 વાગ્યે તેમનું નિધન થયુ હતુ અને સીપીઆર અને સ્ટર્નોટૉમીનો પ્રયાસ વ્યર્થ હતો અને આ ઘટનાઓને તેમની મોતના ઓફિશિયલ જાહેરાતમાં મોડુ થયુ અને જસ્ટિફાઇ કરવા માટે એક ચાલના રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બિલ્કીસ બાનો કેસ: ગુજરાત સરકારે સોગંદનામું દાખલ કરીને દોષિતોની મુક્તિનો કર્યો બચાવ
તપાસ કમિશનના આ રિપોર્ટનું રાજકીય મહત્વ પણ છે, કારણ કે તેમાં ઓ પન્નીરસેલ્વમને પણ ઘેરામાં લેવામાં આવ્યા છે. ઓ પન્નીરસેલ્વમને AIADMKમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તે હજુ શશિકલાને સપોર્ટ કરે છે.
ઓ પન્નીરસેલ્વમ તપાસ દરમિયાન ચાલી રહેલી ઘટનાઓના ઇનસાઇડર હતા. તે ઇનર સર્કલનો ભાગ હતા અને જયલલિતાની તપાસથી જે કઇ પણ જોડાયેલુ હતુ તે તેમની જાણકારીમાં હતુ. જયલલિતાના મોત બાદ ઓ પન્નીરસેલ્વમ તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા હતા.
તપાસનો સામનો કરવા તૈયાર
શશિકલાએ આ તમામ આરોપોને ફગાવી દીધા છે, તેમણે કહ્યુ કે હું રિપોર્ટમાં મારા વિરૂદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવુ છુ. મે જયલલિતાની મેડિકલ ટ્રીટમેન્ટમાં ક્યારેય હસ્તક્ષેપ કર્યો નથી. હું તેની પર એક તપાસનો સામનો કરવા માટે તૈયાર છું.
Advertisement