ગાંધીનગર: AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના 2002ના નિવેદન પર નિશાન સાધ્યું છે જેમાં તેમણે કહ્યુ હતુ કે, તોફાનીઓને પાઠ ભણાવ્યો હતો. ગુજરાતના સૌથી મોટા મુસ્લિમ ટાઉનશિપ જુહાપુરામાં એક જાહેર સભાને સંબોધતા AIMIMના વડાએ કહ્યું કે, “અમિત શાહે એક જાહેર રેલી દરમિયાન નિવેદન આપ્યું હતું કે તેમણે 2002ના ગુજરાતના રમખાણો અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને પાઠ ભણાવ્યો હતો જેના કારણે કાયમી શાંતિ જળવાઈ રહી હતી.
Advertisement
Advertisement
અમિત શાહના આ નિવેદન પર ઓવૈસીએ કહ્યું, “હું આ (અમદાવાદ) મતવિસ્તારના સાંસદ અમિત શાહને કહેવા માંગુ છું કે, તમે 2002માં જે પાઠ ભણાવ્યો હતો તે એ હતો કે બિલ્કીસના બળાત્કારીઓને છોડવામાં આવશે. તમે જે પાઠ ભણાવ્યો હતો તે એ હતું કે તમે બિલ્કીસની ત્રણ વર્ષની પુત્રીના હત્યારાઓને છોડો. તમે અમને એ પણ શીખવ્યું કે એહસાન જાફરીને મારી શકાય છે.”
2002 mein Kaunsa sabaq sikhaya tha @amitshah? Naroda Patiya ka sabaq? Gulberg ka sabaq? Best Bakery ka sabaq? Bilqis Bano ka sabaq? pic.twitter.com/aV3hWC2Ab4
— Asaduddin Owaisi (@asadowaisi) November 25, 2022
આ સાથે ઓવૈસીએ પૂછ્યું કે, અમિત શાહ તમે 2020ના દિલ્હી કોમી રમખાણોના તોફાનીઓને તમે શું પાઠ ભણાવ્યો? વેજલપુર મતવિસ્તારમાંથી મહિલા ઉમેદવાર ઝૈનબ શેખ માટે પ્રચાર કરતી વખતે, ઓવૈસીએ મતદારોને એવા ઉમેદવારને મત આપવા વિનંતી કરી જે જનતાની સેવા કરે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “જો તમે કોંગ્રેસ અથવા AAPને મત આપો છો, તો તમારો મત વેડફાઈ જશે, તમારા મતનો ઉપયોગ કરવા AIMIMને મત આપો.”
Advertisement