ઇઝરાયેલમાં PM બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ હજારો લોકો રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે.
Advertisement
Advertisement
બેન્જામિન નેતન્યાહુએ તેમના સંરક્ષણ પ્રધાનને કેબિનેટમાંથી બહાર કાઢ્યા પછી આ પ્રદર્શનો થઈ રહ્યા છે.
યોવાંગ ગેલેન્ટે ન્યાયિક પ્રણાલી સાથે સંબંધિત ફેરફારોનો વિરોધ કર્યો. ઈઝરાયેલમાં આ ફેરફારોનો છેલ્લા કેટલાક સમયથી વિરોધ થઈ રહ્યો છે.
જેરુસલેમમાંપોલીસ અને સેનાએ નેતન્યાહુના નિવાસસ્થાન નજીક દેખાવકારો પર પાણીની તોપોનો ઉપયોગ કર્યો હતો.
જો કાયદામાં કરવામાં આવી રહેલા આ ફેરફારોને લાગુ કરવામાં આવે છે, તો તેના કારણે ન્યાયાધીશોની નિમણૂંકનો સંપૂર્ણ અધિકાર સરકાર પાસે જશે.
ન્યાયિક પ્રણાલીમાં સૂચિત સુધારાના અમલીકરણ પછી ઇઝરાયેલની સંસદ માટે દેશની સર્વોચ્ચ અદાલતના આદેશોને ઉથલાવી દેવાનું સરળ બનશે.
ટીકાકારો કહે છે કે સૂચિત ફેરફારો ન્યાયિક પ્રણાલીની સ્વતંત્રતા ઘટાડશે અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપશે.
Advertisement