ગુજરાત એક્સક્લૂઝિવ: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પૂર્વ પીએમ મનમોહન સિંહની પ્રશંસા કરતાં કહ્યું કે આર્થિક સુધારાઓ માટે દેશ તેમનું ઋણી રહેશે.
Advertisement
Advertisement
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી મંગળવારે દિલ્હીમાં આયોજિત ‘ટીઆઈઓએલ પુરસ્કાર 2022’ સમારંભને સંબોધિત કરી રહ્યાં હતા.
તેમણે આ દરમિયાન તે પણ કહ્યું કે ભારતને એક ઉદાર આર્થિક નીતિની જરૂરત છે જેમાં ગરીબોને પણ લાભ પહોંચાડવાની ઇચ્છા હોય.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વર્ષ 1991માં નાણામંત્રી રહેતા મનમોહન સિંહ તરફથી શરૂ કરેલા આર્થિક સુધારાઓએ ભારતને એક નવી દિશા બતાવી.
મનમોહન સિંહના વખાણમાં શું બોલ્યા ગડકરી?
નીતિન ગડકરીએ કહ્યું, “લિબરલ ઇકોનોમી (ઉદાર અર્થવ્યવસ્થા)ના કારણે દેશને નવી દિશા મળી, તેના માટે મનમોહન સિંહનું દેશ ઋણી છે.”
તેમને તે વાત ઉપર પણ ભાર આપ્યું કે ઉદાર અર્થવ્યવસ્થા ખેડૂતો અને ગરીબ લોકો માટે છે.
આ અવસરે ગડકરીએ 90ના દશકામાં રોડ નિર્માણ માટે ધન એકત્ર કરવા માટે કરવામાં આવેલી કોશિશનો પણ ઉલ્લેખ કર્યો. તે સમયે ગડકરી મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પદ પર હતા.
તેમણે કહ્યું કે મનમોહન સિંહ તરફથી શરૂ કરવામાં આવેલા આર્થિક સુધારાઓના કારણે સડક યોજનાઓ માટે પૈસા એકત્ર કરી શક્યા હતા.
આ પુરસ્કાર કાર્યક્રમ ‘ટેક્સઇન્ડિયા ઓનલાઇન’ નામની પોર્ટલે આયોજિત કર્યું હતું.
તેમણે કહ્યું કે, ઉદાર અર્થવ્યવસ્થાની નીતિઓ કોઈ દેશના વિકાસમાં કેટલી મદદગાર બને છે, તેને સમજવા માટે ચીન ઉત્તમ ઉદાહરણ છે.
નીતિન ગડકરીના આ નિવેદન પર પત્રકાર અને લેખક પરોન્જય ગુહા ઠાકૂરતા લખે છે કે- કોણ જાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આના પર કેવી પ્રતિક્રિયા આપશે?
નીતિન ગડકરીના કેટલાક જૂના નિવેદન
- મહાત્મા ગાંધીના સમયે રાજનીતિ દેશ, સમાજ માટે હતી, હવે માત્ર સત્તા માટે હોય છે.
- હું દિલથી પ્રાર્થના કરૂ છું કે કોંગ્રેસ મજબૂત બનેલી રહે.
- જે લોકો પોતાના ઘર સંભાળી શકતા નથી તેઓ દેશ પણ ચલાવી શકતા નથી.
- બીજેપી ન ક્યારેય પણ માત્ર અટલ-અડવાણીની પાર્ટી હતી અને ન હવે માદી-શાહની છે.
- સ્વપ્ન બતાવનાર નેતા લોકોને સારા લાગે છે, પરંતુ બતાવેલા સ્વપ્ન પૂરા કરવામાં આવે નહીં તો જનતા તેમની ધોલાઇ પણ કરે છે.
- અનામત આપવાનો શું ફાયદો જ્યારે દેશમાં નોકરીઓ જ ના હોય તો
નીતિન ગડકરીના આ નિવેદન પર પાર્ટીનું શું વલણ હશે તે સમય જ બતાવી શકે છે પરંતુ ગડકરી પહેલા પણ આવા નિવેદન આપ્યા છે, જે કદાચ પાર્ટીને પસંદ ન આવે અને અનેક વખત બીજેપી આ નિવેદનોના કારણે અસહ્જ સ્થિતિમાં આવી ગઇ છે.
બીજેપી સંસદીય બોર્ડથી બહાર કરવામાં આવ્યા હતા ગડકરી
એક સમયે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂકેલા નીતિન ગડકરી હંમેશાથી પોતાના વિચારોને સ્પષ્ટ રીતે લોકો સામે રાખતા આવ્યા છે. તેમની છબિ દમદાર નેતાની છે.
આ વર્ષે ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિ બંનેમાંથી બહાર કરી દીધા હતા. કહેવામાં આવ્યું કે નીતિન ગડકરી તરફથી આપવામાં આવેલા બિનજરૂરી નિવેદન અને કડક વલણથી પાર્ટીએ આ કાર્યવાહી કરી છે. આ વર્ષે નીતિન ગડકરીએ નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, મહાત્મા ગાંધીના સમયે રાજનીતિ દેશ, સમાજ, વિકાસ માટે થતી હતી, પરંતુ હવે રાજનીતિ માત્ર સત્તા માટે હોય છે. ક્યારેક-ક્યારેક તો તેમનું મન રાજનીતિ છોડી દેવાનું થાય છે. આ નિવેદનના કેટલાક સમય પછી પાર્ટીમાં બંને મહત્વપૂર્ણ પદો પરથી તેમને હટાવી દેવામાં આવ્યા હતા.
પોતાની સરકાર વિરૂદ્ધ પણ બોલતા આવ્યા છે ગડકરી
તેઓ નિડરતાપૂર્વક પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા રહ્યાં છે. આ જ કારણ છે કે ક્યારેક તેમના નિવેદનો પાર્ટીના સ્ટેન્ડથી અલગ લાઇન પર હોય તેવું લાગે છે.
આ વર્ષે સપ્ટેમ્બર મહિને ગડકરીએ આરએસએસ સાથે સંકળાયેલ સંગઠન ભારત વિકાસ પરિષદને સંબોધિત કરતાં કહ્યું હતુ કે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાના રૂપમાં સામે આવ્યું છે પરંતુ ભારતના લોકો ગરીબ છે.
આને કેન્દ્રની મોદી સરકાર પર નિશાનો સમજવામાં આવ્યો હતો.
ગડકરીએ તે પણ કહ્યું હતુ કે ભારતના લોકો ભૂખમરો, બેરોજગારી, જાતિવાદ, અસ્પૃશ્યતા અને વધતી મોંઘવારી સામે ઝઝૂમી રહ્યાં છે. ગડકરીએ કહ્યું હતુ કે અમીર અને ગરીબ વચ્ચેની ખાઇ વધી રહી છે અને તેને ઓછી કરવા માટે એક સેતુ બનાવવાની જરૂરત છે.
આનાથી પહેલા નીતિન ગડકરીએ મુંબઇમાં એક કાર્યક્રમ દરમિયાન તેવું પણ કહ્યું હતુ કે સરકારમાં સમય પર નિર્ણય લેવામાં આવી રહ્યાં નથી.
તેમણે કહ્યું હતું કે, બાંધકામની બાબતમાં સમય સૌથી મહત્વપૂર્ણ છે. સમય એ સૌથી મોટી મૂડી છે. સૌથી મોટી સમસ્યા એ છે કે સરકાર સમયસર નિર્ણયો લેતી નથી.
તેમણે કહ્યું હતુ, “તમે ચમત્કાર કરી શકો છો. આપણી પાસે ક્ષમતા છે. મારૂ કહેવું છે કે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ભવિષ્ય સોનેરી છે. આપણે વિશ્વ અને ભારતની સારી ટેક્નોલોજી, સારા સંશોધન અને સફળ પદ્ધતિઓનો સ્વીકાર કરવો પડશે. ”
બીજેપી દેશમાં કટોકટી લગાવવા માટે ઇન્દિરા ગાંધીની સમયાંતર કડક ટીકા કરતી આવી છે, ત્યારે વર્ષ 2019માં નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ ઇન્દિરા ગાંધીની પ્રશંસા કરી હતી. તેમણે કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ પુરૂષ નેતાઓ વચ્ચે પોતાની જગ્યા બનાવવા અને ક્ષમતા સાબિત કરનાર ઇન્દિરા ગાંધીના વખાણ કર્યા હતા.
જ્યારે વર્ષ 2018માં મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો મુદ્દો ઉગ્ર બનેલો હતો, ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેવું કહીને મોદી સરકારની મુશ્કેલીઓ વધારી દીધી હતી કે અનામત આપવાનો ફાયદો કેવી રીતે થશે, જ્યારે દેશમાં નોકરીઓ જ નથી.
Advertisement