ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. મુસ્લિમોની વાત કરીએ તો ના તો ભાજપ અને ના તો કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી તેમણે ટિકિટ આપવામાં કોઇ ખાસ રસ દાખવ્યો નથી. ગુજરાતમાં કુલ વસ્તીમાં 9% મુસ્લિમોની વસ્તી છે.
Advertisement
Advertisement
શું છે મહત્વ?
અંતિમ વખત કોંગ્રેસે 10 કે તેથી વધારે મુસ્લિમ ઉમેદવાર 1995માં વિધાનસભા ચૂંટણીમાં ઉભા રાખ્યા હતા. બીજી તરફ ભાજપના ઇતિહાસમાં એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર 24 વર્ષ પહેલા ચૂંટણી લડ્યો હતો. એવામાં આ ચર્ચાનો વિષય છે કે ગુજરાતમાં અહેમદ પટેલ જેવા ચાણક્ય થયા, જ્યા 9% વસ્તી મુસ્લિમ છે, ત્યા મુસ્લિમ ઉમેદવાર આપવામાં પાર્ટી પાછળ કેમ રહે છે.
આ વખતે શું છે સ્થિતિ
આ વખતે 140 કોંગ્રેસના ઉમેદવારમાંથી છ મુસ્લિમ છે, જ્યારે ભાજપના 178 ઉમેદવારમાંથી એક પણ મુસ્લિમ ઉમેદવાર નથી. કોંગ્રેસ લઘુમતી સેલે આ વખતે મુસ્લિમ ઉમેદવારો માટે 11 ટિકેટની માંગ કરી હતી.
સૌથી વધુ 17 મુસ્લિમ ઉમેદવાર કોંગ્રેસે વર્ષ 1980માં મેદાનમાં ઉતાર્યા હતા. આ તે સમય હતો જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમનું (KHAM) ચૂંટણી સમીકરણ રજૂ કર્યુ હતુ. આ 17માંથી 12 ઉમેદવાર ત્યારે જીત્યા હતા. જોકે, આ કોંગ્રેસે 1985માં 11 મુસ્લિમોને ટિકિટ આપી હતી જેમાંથી 8 ચૂંટાયા હતા.
હારનું ફેક્ટર
1990ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના રામ જન્મભૂમિ અભિયાને હિન્દૂત્વની રાજનીતિનો રસ્તો ખોલ્યો હતો, ત્યારે ભાજપ અને જનતા દળે કોઇ મુસ્લિમ કેન્ડિડેટને ઉતાર્યો નહતો પણ કોંગ્રેસે 11 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી જેમાંથી માત્ર બે જ ઉમેદવાર જીતી શક્યા હતા. તે બાદ 1995માં કોંગ્રેસે 10 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી અને કોઇ પણ જીતી શક્યુ નહતુ. આ વર્ષે માત્ર ઉસ્માનગની દેવડિવાલા વિધાનસભામાં પહોચ્યા હતા પણ તે અપક્ષ ચૂંટણી લડીને જીત્યા હતા.
જ્યારે ભાજપે આપી મુસ્લિમને ટિકિટ
ભાજપે 1998માં પ્રથમ વખત ભરૂચ જિલ્લાની વાગરા બેઠક પર એક મુસ્લિમ કેન્ડિડેટ અબ્લુલગની કુરૈશીને ટિકિટ આપી હતી પણ તે ચૂંટણી હારી ગયા હતા, ત્યારથી અત્યાર સુધી ભાજપે કોઇ મુસ્લિમને ટિકિટ આપી નથી.
કોંગ્રેસની વાત કરવામાં આવે તો 2002માં થયેલા ગોધરા કાંડ બાદ રાજનીતિનું એવુ ધ્રુવીકરણ થયુ કે કોંગ્રેસે પણ મુસ્લિમોને ટિકિટ આપવાનું ઓછુ કરી નાખ્યુ. 2002માં તેને માત્ર પાંચ મુસ્લિમોને ટિકિટ આપી હતી અને તે બાદથી આ સંખ્યા ક્યારેય પણ છથી આગળ વધી શકી નથી.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કેમ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ પર ટકી ભાજપની રણનીતિ, પાર્ટીમાં જ કેમ ઉભા થયા સવાલ?
ટિકિટમાં કાપનું કારણ
ભારતીય જનતા પાર્ટી (BJP) માને છે કે મુસ્લિમ કેન્ડિડેટની જીતની શક્યતા ઓછી રહે છે. પાર્ટીના લઘુમતી સેલના અધ્યક્ષ મોહસીન લોખંડવાલા કહે છે, અનામત બેઠકને છોડી દઇએ તો ભાજપ ટિકિટ આપતા સમયે માત્ર જીતની સંભાવનાને ધ્યાનમાં રાખે છે, પછી તે વિધાનસભા ચૂંટણી હોય કે મહાનગરપાલિકાની ચૂંટણી. જોકે, સ્થાનિક ચૂંટણીમાં મુસ્લિમ વસ્તી ધરાવતા વૉર્ડમાં જરૂર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે છે.
જ્યા સુધી કોંગ્રેસમાં મુસ્લિમોને ટિકિટ આપવામાં ઉદાસીનતાની ઘટ
જ્યાં સુધી કોંગ્રેસમાં મુસ્લિમોને ટિકિટ આપવામાં આળસનો સવાલ છે તો ખાડિયા-જમાલપુર બેઠકના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કહે છે કે રાજકીય પક્ષ કોઈપણ બેઠકના સમીકરણો જોઈને ઉમેદવારની જીતની શક્યતાઓ ચકાસી લે છે. કોંગ્રેસ લઘુમતીઓને ટિકિટ આપે છે પરંતુ તે સ્થાનિક સમીકરણો પર નિર્ભર છે. ખેડાવાલા પોતે જે બેઠક પરથી ધારાસભ્ય છે તે બેઠક પર મુસ્લિમોની વસ્તી 61% છે.
જ્યા સુધી વર્તમાન વિધાનસભાની વાત કરીએ તો સદનમાં કોંગ્રેસના ત્રણ મુસ્લિમ ધારાસભ્ય છે જેમાં ઇમરાન ખેડાવાલા સિવાય દરિયાપુરથી ગ્યાસુદ્દીન શેખ અને વાંકાનેરથી જાવેદ પીરજાદા ધારાસભ્ય છે. કોંગ્રેસે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં પણ આ ત્રણ ધારાસભ્યોને ફરી ટિકિટ આપીને રિપીટ કર્યા છે.
Advertisement