મુંબઇ: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીનો મોટો ચહેરો છે પરંતુ તેની પાસે હજુ સુધી ભારતીય પાસપોર્ટ નથી. જોકે, એક્ટરનું કહેવુ છે કે તેને પાસપોર્ટ માટે એપ્લાય કર્યુ છે પરંતુ કોવિડ મહામારીને કારણે તેમાં મોડુ થયુ હતુ. અક્ષય કુમારનું કહેવુ છે કે જલ્દી તેને ઇન્ડિયન પાસપોર્ટ મળી જશે. વર્ષ 2019માં નાગરિકતાને લઇને ઘણો વિવાદ થયો હતો, તે સમયે અક્ષય કુમારે કહ્યુ હતુ કે તે પોતાના કેનેડિયન પાસપોર્ટની જગ્યાએ ભારતીય પાસપોર્ટ બનાવશે.
Advertisement
Advertisement
તાજેતરમાં જ અક્ષય કુમારને પાસપોર્ટને લઇને સવાલ પૂછવામાં આવ્યો હતો, જેની પર અક્ષય કુમારે કહ્યુ કે તેને ખબર હતી કે આ સવાલ કરવામાં આવશે. કેનેડિયન પાસપોર્ટ હોવાનો અર્થ એવો નથી કે હું કોઇ ભારતીયથી ઓછો છું. હું ભારતીય જ છુ. મને પોતાનો પાસપોર્ટ 9 વર્ષ પહેલા મળ્યો હતો, હું તેના કારણમાં પડવા માંગતો નથી, કેમ, શું થયુ, મારી ફિલ્મ સારૂ નહતી કરી રહી, વગેરે વગેરે..
હાં, મે 2019માં કહ્યુ હતુ, ત્યારે મે તેની માટે અરજી કરી હતી પરંતુ બાદમાં મહામારી આવી ગઇ અને અઢી વર્ષ માટે બધુ બંધ થઇ ગયુ. મને પોતાનો રિનાઉંસ લેટર મળી હયો છે અને ઘણો જલ્દી મારો પાસપોર્ટ આવી જશે.
પહેલા પણ અક્ષય કુમારને તેની નાગરિકતાને લઇને સવાલ કરવામાં આવ્યો હતો જેની પર અક્ષય કુમારે કહ્યુ હતુ કે તેને દુખ થાય છે કે લોકો તેના દેશ પ્રત્યેના પ્રેમ પર સવાલ ઉભા કરે છે. મહત્વપૂર્ણ છે કે અક્ષય કુમારને કેનેડિયન કુમાર કહીને ટ્રોલ કરવામાં આવે છે, જેની પર અક્ષય કુમારે કહ્યુ હતુ, મને લાગે છે કે લોકો આ વાત પર અટકી ગયા છે કે હું બધાને પોતાનો પાસપોર્ટ બતાવીને એમ કહુ કે હું ભારતીય છું. હું નથી ઇચ્છતો કે લોકોને તક મળે માટે મે તેની માટે અરજી કરી દીધી છે.
આ પણ વાંચો: નવા સમીકરણો રચાતા વડગામ બેઠક પર થશે રોમાંચક ચૂંટણી: જિજ્ઞેશ મેવાણી Vs મણીભાઇ વાઘેલા
મહત્વપૂર્ણ છે કે આ વર્ષે અક્ષય કુમારની ફિલ્મી કરિયર સારી નથી જઇ રહી. આ વર્ષે અક્ષય કુમારની જેટલી પણ ફિલ્મ આવી છે, તમામ ફ્લૉપ થઇ છે. અક્ષય કુમારનું કહેવુ છે કે તે આ સમયે તેને બધુ ખતમ કરીને ફરી શરૂ કરવુ પડશે.
કહેવામાં આવે છે કે અક્ષય કુમાર બોલિવૂડના સૌથી વધુ ફી લેનારા એક્ટર છે પરંતુ ફિલ્મ ફ્લૉપ થયા બાદ તેમણે પોતાની ફી ઓછી કરી લીધી છે. અક્ષય કુમારે જણાવ્યુ કે તેને પોતાની ફી 30થી 40 ટકા ઓછી કરી દીધી છે. આ મંદીનો સમય પણ છે. એવામાં દર્શકોનું દર્દ સમજવુ પડશે. મનોરંજન પર ખર્ચ કરવા માટે તેની પાસે સીમિત રકમ પણ છે, બધુ બદલવુ પડશે.
Advertisement