વિશાલ મિસ્ત્રી, રાજપીપલા: કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં ગાંઘીનગર ખાતે 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે.3 દિવસ ચાલનારી આ બેઠકમાં વિધાનસભા દીઠ 3 થી 5 દાવેદારોના નામનુ લીસ્ટ જિલ્લા સંગઠન તરફથી અપાયું હોવાનુ આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.હવે દિલ્હી ખાતે કેન્દ્રીય ચૂંટણી સમિતિ ફાઇનલ ઉમેદવારોના નામની જાહેરાત કરશે.
Advertisement
Advertisement
નર્મદા જિલ્લાની 148 નાંદોદ અને 149 ડેડીયાપાડા વિધાનસભા બેઠક માટે 3 નવેમ્બરે પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં અમિત શાહે ગાંધીનગર ખાતે જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોને સાંભળ્યા હતા.અંતિમ ચર્ચા વિચારણાઓ બાદ નાંદોદ બેઠક માટે સંભવિત ઉમેદવારો પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશભાઈ તડવી, ડો.રવિ દેશમુખ, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, ભારતીબેન તડવી જ્યારે ડેડીયાપાડા બેઠક માટે સંભવિત ઉમેદવારો નર્મદા જિલ્લા પંચાયત સભ્ય હિતેશભાઈ દીવાલભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, શંકરભાઈ વસાવા, સોનજીભાઈ વસાવા, નર્મદા જીલ્લા પંચાયત પ્રમુખ પર્યુંસાબેન વસાવાના નામોની યાદી સુપ્રત કરાઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે.
આ તમામની વચ્ચે ભરૂચના સાંસદ મનસુખ ભાઈ વસાવાએ નાંદોદ બેઠક માટે પોતાની પુત્રી પ્રીતિબેન વસાવા માટે ટીકીટ માંગી હતી, એમણે પોતાની પુત્રીની દાવેદારી પરત ખેંચતા જણાવ્યું હતું કે ચાલુ સાંસદ અને ધારાસભ્યના પરિવારના સભ્યોને ટીકીટ નહિ આપવા ભાજપ પક્ષે નિર્ણય કર્યો છે એને શિરોમાન્ય ગણી આદેશ મુજબ કામ કરીશું.નાંદોદ અને ડેડિયાપાડા બેઠક માટે પક્ષ જેને નક્કી કરે અમે એને જીતાડવા કામે લાગી જઈશું.તો બીજી તરફ મોતિસિંહ વસાવાએ સોશિયલ મીડિયામાં એવો મેસેજ વાયરલ કર્યો છે કે ડેડિયાપાડામાં ભાજપ જેને ટીકીટ આપે એને ગાંધીનગર મોકલીશું.એટલે એમ લાગે છે કે મોતિસિંહ વસાવાએ ટીકીટની આશા છોડી હથિયાર નીચે મૂકી દીધા હોવા જોઈએ.
Advertisement