નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવતા ગરીબ સવર્ણોને 10 ટકા અનામતનો આદેશ આપ્યો છે. આ મામલે CJI યૂયૂ લલિતની અધ્યક્ષતામાં પાંચ જજની પીઠે નિર્ણય સંભળાવ્યો હતો. જસ્ટિસ દિનેશ માહેશ્વરી, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાએ EWS કોટાને બંધારણીય માન્યુ હતુ પરંતુ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા યૂયૂ લલિત અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટે તેમાં અસહમતિ દર્શાવતા તેને ગેરબંધારણીય ગણાવ્યુ હતુ. આ પ્રથમ વખત નહતુ જ્યારે અનામત મામલે જસ્ટિસ ભટ્ટે પોતાનો વિરોધ નોંધાવ્યો હોય. આ પહેલા તે મરાઠા રિઝર્વેશનના મુદ્દા પર પણ વિરોધ નોંધાવી ચુક્યા હતા. ન્યાયાધીશ એસ રવિન્દ્ર ભટ્ટ 20 ઓક્ટોબર 2023માં રિટાયર થઇ જશે.
Advertisement
Advertisement
સુપ્રીમ કોર્ટ જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટનો એક રસપ્રદ કિસ્સો છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં જજ બન્યા પહેલા ભટ્ટ રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હતા. તે જયપુરના પરકોટા ગેરકાયદેસર નિર્માણ કેસમાં સુનાવણી કરી રહ્યા હતા. આ દરમિયાન સવારે આશરે 11.15 વાગ્યે તેમના અંગત સ્ટાફે એક પત્ર પકડાવ્યો હતો. સુનાવણી વચ્ચે જ તેમણે મહત્વપૂર્ણ પત્ર ખોલ્યો તો ખબર પડી કે તેમની નિયુક્તિ સુપ્રીમ કોર્ટમાં થઇ ગઇ છે. તે આમ બોલીને બેંચ પરથી ઉઠી ગયા કે હવે તે સુનાવણી નથી કરી શકતા. આખુ કોર્ટ રૂમ શાંત થઇ ગયુ કે અચાનક એવુ તો શું થયુ કે સુનાવણી વચ્ચે છોડીને જસ્ટિસ ઉઠી ગયા. કોઇએ કહ્યુ કે તેમનું સ્વાસ્થ્ય બરાબર નથી તો કોઇએ કહ્યુ કે જરૂરી સરકારી આદેશ આવ્યા હશે પણ પછી ખબર પડી કે તે હવે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બની ગયા છે.
મરાઠા અનામત પર જસ્ટિસ ભટ્ટની ટિપ્પણી
કેમ્પસ લૉ સેન્ટર, યૂનિવર્સિટી ઓફ દિલ્હીથી પાસ આઉટ રવિન્દ્ર ભટ્ટ 2004માં દિલ્હી હાઇકોર્ટના પણ જજ રહી ચુક્યા છે. તેમણે કેટલાક મહત્વના કેસની સુનાવણી કરી અને ચુકાદા આપ્યા પણ મરાઠા અનામત કેસની સુનાવણી માટે બનાવવામાં આવેલી પાંચ જજની બંધારણીય પીઠમાં તેમણે તેનો વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે અનામત આપવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયને પડકારનારી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થઇ હતી. આ કેસને બંધારણીય પીઠ પાસે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પીઠે પાંચ જજની બંધારણીય બેંચે મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની સુનાવણી કરતા કહ્યુ કે અનામતની 50 ટકા સીમાને તોડવામાં નથી આવી શકતી, તે પાંચ જજની પીઠમાં રવિન્દ્ર ભટ્ટ પણ હતા. પાંચ જજોએ સર્વસમ્મતિથી મરાઠા અનામતને ગેરબંધારણીય ગણાવ્યુ હતુ.
આ પણ વાંચો: EWS આરક્ષણ પર સુપ્રીમ કોર્ટની મોહર, 10 ટકા અનામત યથાવત રાખ્યુ
મહારાષ્ટ્ર સરકારને લાગ્યો હતો ઝટકો
મરાઠા આંદોલન ચાલી રહ્યુ હતુ. સરકારને પરસેવો વળી ગયો હતો. રાજ્યમાં રાજકીય સ્થિતિને જોતા મહારાષ્ટ્ર સરકારે અલગથી કાયદો બનાવીને મરાઠા સમુદાયમાં શિક્ષણ અને નોકરીમાં રિઝર્વેશન આપ્યુ હતુ. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા ધરાવતી પાંચ જજની બંધારણીય બેંચે જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, એસ અબ્દુલ નજીર, હેમંત ગુપ્તા અને એસ રવિન્દ્ર ભટ્ટે આ ઘટનાની સુનાવણી કરી હતી, તે સમયે જસ્ટિસ ભૂષણે નિર્ણય વાંચતા કહ્યુ હતુ કે આપણા લોકોને ઇન્દિરા સાહની જજમેન્ટની સમીક્ષાનું કોઇ યોગ્ય કારણ નથી, માટે ઇન્દિરા સાહની કેસમાં જે નિર્ણય આપવામાં આવ્યો તેનું પાલન કરવામાં આવે. કલમ 342-Aનું સમ્માન કરતા આપણે 102માં બંધારણીય સંશોધનને પડકાર આપનારી અરજી પણ ફગાવીએ છીએ.
Advertisement