નવી દિલ્હી: પંજાબમાં ખાલિસ્તાની સંગઠન ‘વારિસ પંજાબ ડે’ના ચીફ અમૃતપાલ સિંહના સમર્થકોએ વિવાદ ઉભો કર્યો હતો. અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશનમાં અમૃતપાલ, તેના સાથી લવપ્રીત તૂફાન સહિત કેટલાક લોકો વિરૂદ્ધ કેસ દાખલ છે. તૂફાનની ધરપકડના વિરોધમાં સમર્થકોએ આજે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો.
Advertisement
Advertisement
તૂફાનની કેમ ધરપકડ કરવામાં આવી?
આરોપ છે કે તૂફાન સહિત કેટલાક લોકોએ અમૃતપાલ વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરનારા એક યુવકનું અપહરણ કર્યુ હતુ, તે પછી તેને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં તૂફાનની ધરપકડ કરવામાં આવતા વિવાદ ઉભો થયો હતો.
બંદૂક લઇને પોલીસ સ્ટેશને પહોચ્યા સમર્થક
આજે હજારોની સંખ્યામાં તલવાર લઇને આવેલા અમૃતપાલના સમર્થકોએ બેરિકેડ તોડી નાખ્યા હતા અને અજનાલા પોલીસ સ્ટેશન પર કબજો કર્યો હતો. કેટલાક લોકોના હાથમાં બંદૂક, લાકડી અને તલવાર પણ હતી.
કોણ છે અમૃતપાલ સિંહ?
અમૃતસરના જલ્લૂપુર ખેડામાં વર્ષ 1993માં અમૃતપાલ સિંહનો જન્મ થયો હતો. 12માં ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી 2012માં આખો પરિવાર દૂબઇ જતો રહ્યો હતો. ગત વર્ષે ફેબ્રુઆરીમાં દીપ સિદ્ધૂના મોત બાદથી તે ‘વારિસ પંજાબ ડે’ સંગઠનને લીડ કરી રહ્યો છે.
જાસુસી એજન્સીઓની નજર
થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે અમૃતપાલ સિંહની ગતિવિધિ પર કેન્દ્રીય જાસુસી એજન્સીઓની નજર છે. આરોપ છે કે અમૃતપાલ ખાલિસ્તાની મૂવમેન્ટને ભાર આપી રહ્યો છે.
અમિત શાહને આપી હતી ધમકી?
અમૃતપાલ સિંહે તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહને ધમકી આપી હતી, તેને કહ્યુ હતુ કે ઇન્દિરા ગાંધીએ પણ અમને દબાવવાનો પ્રયાસ કર્યો હતો, શું હાલ થયા?
ISIએ પંજાબ મોકલ્યા છે
કેપ્ટન અમરિંદર સિંહે આશંકા વ્યક્ત કરી હતી કે ISIની ઉશ્કેરણી પર અમૃતપાલને પંજાબમાં ફરીથી ખાલિસ્તાનનો મુદ્દો ભડકાવવા માટે દૂબઇથી મોકલવામાં આવ્યો છે.
Advertisement