નવી દિલ્હી: વિશ્વના લોકો સામાન્ય રીતે ભારત અને પાકિસ્તાન વિશે વિચારે છે કે તેઓ ક્યારેય એકબીજાની મદદ કરતા નથી. પરંતુ તે સાચું નથી. બંને દેશો તરફથી ઘણી વખત માનવીય સ્તરે મદદ આપવામાં આવે છે. તાજેતરનું ઉદાહરણ પાકિસ્તાનની મેરીટાઇમ સિક્યોરિટી એજન્સીએ રજૂ કર્યું છે. તેણે પાકિસ્તાનની સરહદમાં ડૂબી રહેલા છ ભારતીયોને માત્ર બચાવ્યા જ નહીં, પરંતુ તેમને તબીબી સહાય અને ખોરાક આપ્યા પછી ભારતીય કોસ્ટ ગાર્ડને સોંપી દીધા.
Advertisement
Advertisement
ઘટના 6 ઓક્ટોબરની છે. ભારતના છ માછીમારો તેમની બોટ દ્વારા દરિયામાં માછલી પકડવા ગયા હતા. ભારત-પાકિસ્તાન ઈન્ટરનેશનલ બોર્ડર પાસે એક અકસ્માતમાં તેમની બોટ પલટી ગઈ અને તમામ ડૂબવા લાગ્યા અને પાકિસ્તાની જળસીમાની અંદર પ્રવેશી ગયા. આ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલા પાકિસ્તાનની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીના જહાજમાં સવાર અધિકારીઓએ તેમને જોયા અને તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી.
તાત્કાલિક મદદ મળતા તમામ છ માછીમારોના જીવ બચી ગયા હતા. આ પછી પાકિસ્તાની સત્તાવાળાઓએ તે તમામને તબીબી સહાય અને ભોજન પૂરું પાડ્યું હતું. માછીમારોની શારીરિક સ્થિતિ સારી થયા બાદ તમામને આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ભારતીય કોસ્ટ ગાર્ડને સોંપવામાં આવ્યા હતા. પાકિસ્તાની મેરીટાઇમ સિક્યોરિટી એજન્સીને આ પ્રકારની મદદની ભારતીય કોસ્ટ ગાર્ડના માછીમારો અને અધિકારીઓએ હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી.
Advertisement