નવી દિલ્હી: ઝારખંડ સરકાર તરફથી ગિરિડીહ જિલ્લામાં જૈન તીર્થ સ્થળ સમ્મેદ શિખરજીને (Sammed Shikhar dispute) પ્રવાસન સ્થળ જાહેર કરવાનો વિરોધ વધી રહ્યો છે. જૈન સમાજે દેશભરમાં પ્રદર્શન કર્યુ હતુ. આ દરમિયાન અમદાવાદ, મુંબઇ, દિલ્હી સહિતના અન્ય કેટલાક શહેરમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા.
Advertisement
Advertisement
જૈન સમાજના લોકો ઝારખંડ સરકારના નિર્ણયને બદલવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન આવો જાણીયે શું છે સમગ્ર વિવાદ.
જૈન સમાજના અલગ અલગ સ્થળોએ પ્રદર્શનની તસવીર
મુંબઇમાં જૈન સમાજે રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યુ હતુ
Maharashtra | Members of Jain community protest in Mumbai against the decision of Jharkhand govt to declare 'Shri Sammed Shikharji' a tourist place and vandalisation of their temple in Palitana, Gujarat pic.twitter.com/FPYIKKTv0E
— ANI (@ANI) January 1, 2023
Delhi | Members of the Jain community protest at India Gate against the decision of the Jharkhand govt to declare 'sacred' Shri Sammed Shikharji a tourist place pic.twitter.com/6WCKHq3UII
— ANI (@ANI) January 1, 2023
કેવી રીતે વિવાદ શરૂ થયો?
કેન્દ્ર સરકારે વર્ષ 2019માં સમ્મેદ શિખરને ઇકો સેન્સેટિવ ઝોન જાહેર કર્યો હતો. તે બાદ ઝારખંડ સરકારે તેને પ્રવાસન સ્થળ જાહેર કરી દીધુ હતુ. સમ્મેદ શિખરની આસપાસના વિસ્તારમાં માંસ અને દારૂના વેચાણ અને સેવન પર પ્રતિબંધ છે. જોકે, કેટલાક દિવસ પહેલા એક યુવકનો દારૂ પીતા વીડિયો વાયરલ થયો હતો.
જૈન સમાજનો આરોપ છે કે વિસ્તારમાં માંસ અને દારૂનું સેવન થતા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચી છે.
શું છે સમ્મેદ શિખરનું ધાર્મિક મહત્વ?
ઝારખંડના સૌથી ઉંચા પર્વત પારસનાથ પર્વત પર જૈન ધર્મના પવિત્ર તીર્થ સમ્મેદ શિખર આવેલુ છે. આ વિસ્તારમાં જૈન ધર્મના 24માંથી 20 તીર્થકરોએ મોક્ષની પ્રાપ્તિ કરી હતી.
અહી 23માં તીર્થકર ભગવાન પાર્શ્વનાથે પણ નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતુ. આ પવિત્ર પર્વતના શિખર સુધી શ્રદ્ધાળુ ચાલતા જાય છે. જંગલ અને પહાડોના દુર્ગમ રસ્તામાંથી પસાર થતા 9 કિલોમીટરની યાત્રા કરીને પર્વત પર પહોચે છે.
દેખાવકારોએ રાષ્ટ્રપતિ મુર્મુને મેમોરેન્ડમ સુપરત કર્યું
આ કેસના વિરોધમાં જૈન સમુદાયના હજારો લોકો દિલ્હીના પ્રગતિ મેદાન અને ઈન્ડિયા ગેટ પર એકઠા થયા હતા. આ દરમિયાન વિરોધીઓનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યું હતુ અને આ સંબંધમાં એક મેમોરેન્ડમ સોંપ્યું. તેમણે રાષ્ટ્રપતિને કહ્યું કે તેઓ ઝારખંડ સરકાર દ્વારા સમેદ શિખરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાના વિરોધમાં છે. તેનાથી જૈન સમાજની ભાવનાઓને ઠેસ પહોંચે છે. તેનાથી તીર્થયાત્રાને નુકસાન થશે. સરકારે નિર્ણય પાછો ખેંચવો જોઈએ.
મહારાષ્ટ્રના મંત્રીઓએ પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
જૈન સમુદાયે મુંબઈના રસ્તાઓ પર જોરદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી એમપી લોઢાએ પણ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે, “અમે ગુજરાતના પાલિતાણામાં જૈન મંદિરની તોડફોડ અને ઝારખંડ સરકારના સમેદ શિખરને પર્યટન સ્થળમાં ફેરવવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છીએ. ગુજરાત સરકારે આવા લોકો સામે કડક પગલાં લેવા જોઈએ. આજે પાંચ લાખથી વધુ લોકોએ વિરોધ કર્યો છે.
પાલિતાણાના જૈન મંદિરમાં પણ તોડફોડ
જૈન સમાજના દેશવ્યાપી વિરોધ વચ્ચે ગુજરાતના પાલિતાણા શહેરના જૈન મંદિરમાં તોડફોડનો કિસ્સો પણ સામે આવ્યો છે. જૈન સમાજે ગુજરાત સરકાર પાસે મંદિરમાં તોડફોડ કરનારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.
VHP અને ઓવૈસીએ જૈન સમુદાયને ટેકો આપ્યો હતો
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરીને જૈન સમુદાયના વિરોધને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે ઝારખંડ સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચવો જોઈએ.
જણાવી દઈએ કે આ પહેલા વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ પણ જૈન સમુદાયના લોકોને સમર્થન આપ્યું હતું. VHPએ કહ્યું હતું કે સમ્મેદ શિખર એક તીર્થસ્થાન છે અને તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવી જોઈએ નહીં.
Advertisement