નવી દિલ્હી: 9 ડિસેમ્બર 2022માં PLA જૂથે તવાંગ સેક્ટરના યાંગત્સે વિસ્તારમાં LAC પર અતિક્રમણ કરીને એક તરફી બદલાવનો પ્રયાસ કર્યો હતો. ચીનના આ પ્રયાસનો અમારી સેનાએ સામનો કર્યો, આ અથડામણમાં અથડામણ થઇ હતી. ભારતીય સેનાએ બહાદુરીથી PLAના આપણા વિસ્તારમાં અતિક્રમણ કરતા રોક્યા હતા અને તેમણે પરત જવા માટે મજબૂર કર્યા હતા. આ અથડામણમાં બન્ને તરફથી કેટલાક સૈનિકોને ઇજા થઇ હતી. હું આ સદનને એમ જણાવવા માંગુ છુ કે અમારા કોઇ પણ સૈનિકનું મોત થયુ નથી અને ના તો કોઇ ગંભીર રીતે ઘાયલ થયુ છે. ભારતીય સેન્ય કમાન્ડરોના સમય પર હસ્તક્ષેપને કારણે PLA સૈનિક પોતાના સ્થળ પર પરત જતા રહ્યા હતા. આ ઘટનાને લઇને વિસ્તારના સ્થાનિક કમાન્ડરે 11 ડિસેમ્બર 2022માં પોતાના ચીની કમાન્ડર સાથે સ્થાપિત વ્યવસ્થા હેઠળ એક ફ્લેગ મીટિંગ કરી હતી અને આ ઘટના પર ચર્ચા કરી હતી.
Advertisement
Advertisement
ચીની પક્ષને આ રીતની એક્શન માટે ઇનકાર કરવામાં આવ્યો હતો અને સીમા પર શાંતિ રાખવા માટે કહેવામાં આવ્યુ હતુ. આ મુદ્દાને ચીની પક્ષ સાથે કૂટનીતિક સ્તરે પણ ઉઠાવવામાં આવ્યો છે. હું આ સદનને જણાવવા માંગુ છુ કે અમારી સેના અમારી ભૌમિક અખંડતાને સુરક્ષિત રાખવા માટે પુરી રીતે કટિબદ્ધ છે અને તેના વિરૂદ્ધ કોઇ પણ પ્રયાસને રોકવા માટે તત્પર છે. મને વિશ્વાસ છે કે આ સદન અમારી સેનાની વીરતા અને સાહસને એક સ્વરથી સમર્થન આપશે.
ભારત-ચીન અથડામણને લઇને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ત્રણેય સેના પ્રમુખ- સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે, નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિકુમાર અને એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સાથે બેઠક કરી હતી. બેઠકમાં વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (સેવા નિવૃત) પણ સામેલ થયા હતા. વિદેશ સચિવ વિનય ક્કાત્રા અને ગિરિધર અરમાને પણ હાજર હતા.
Advertisement