‘વારિસ પંજાબ દે’ના કાયદાકીય સલાહકાર ઈમાન સિંહ ખારાએ દાવો કર્યો હતો કે ‘ખાલિસ્તાન સમર્થક ભાગેડુ અમૃતપાલ સિંહની પંજાબ પોલીસે શાહકોટથી ધરપકડ કરી છે.’ વકીલ ઈમાન સિંહ ખારાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસ અમૃતપાલ સિંહને “નકલી એન્કાઉન્ટર “માં મારવા માગે છે. જો કે, પોલીસે આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું કે તે હજુ પણ અમૃતપાલ સિંહને પકડવાનો પ્રયાસ કરી રહી છે. ખારાએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. ખારાએ કહ્યું કે અમૃતપાલ સિંહના જીવને જોખમ છે અને તેને શાહકોટ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
‘પોલીસ નકલી એન્કાઉન્ટર કરે તેવી શક્યતા’
એડવોકેટ ઈમાન સિંહ ખારાએ એવો પણ દાવો કર્યો છે કે પંજાબ પોલીસ અમૃતપાલ સિંહને નકલી એન્કાઉન્ટરમાં મારી નાંખે તેવી શક્યતા છે. ખાલિસ્તાની નેતાનો જીવ જોખમમાં હોવાનું જોતાં વારિસ પંજાબ દેના વકીલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યાછે. આ મામલે વકીલે હાઈકોર્ટમાં અરજી કરી છે. વારિસ પંજાબ દેના કાનૂની વકીલે કહ્યું કે અમે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી છે, જે કાયદેસર ઔચિત્ય વિના કોઈ વ્યક્તિની ગેરકાયદેસર ધરપકડની વિરુદ્ધ લગાવવામાં આવે છે.
એડવોકેટ ખારાએ જણાવ્યું હતું કે, પોલીસ કોઈપણ વ્યક્તિને કોર્ટમાં રજૂ કર્યા વિના તેની ધરપકડ કરી શકે નહીં. ભારતીય બંધારણની કલમ 21 મુજબ દરેક નાગરિકને જીવવાનો અધિકાર છે. તેમણે આરોપ લગાવ્યો કે અટકાયત કરાયેલી વ્યક્તિને 24 કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવાની પોલીસની ફરજ છે, પરંતુ પોલીસે અમૃતપાલ સિંહને રજૂ કર્યો નથી.
અમૃતપાલ સિંહ હજુ પણ ફરાર-પંજાબ પોલીસ
જોકે, પોલીસનો દાવો છે કે અમૃતપાલ સિંહ હજુ પણ ફરાર છે અને તેને પકડવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પંજાબ પોલીસનું કહેવું છે કે વારિસ પંજાબ દે સાથે સંકળાયેલા અને પ્રાંતમાં શાંતિને ડહોળવાનો પ્રયાસ કરનારાઓ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં અન્ય 34 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે ધરપકડ કરાયેલા લોકોની કુલ સંખ્યા વધીને 112 થઈ ગઈ છે.
Advertisement