અમદાવાદ 18 માર્ચ 2023: વિશાલા ઓપન આર્ટ ગેલેરી ખાતે આર્ટિસ્ટ અને ઈન્ટિરિયલ ડિઝાઈનર ભરત .જે. મેવાડાના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ૧૯૮૧માં સી.એન.માંથી ફાઈન આર્ટ્સ કરનાર આર્ટિસ્ટ ભરત જે. મેવાડાને ગાંધીજીની તસવીરો પરથી પોટ્રેટ બનાવવાનો વિચાર આવ્યો. જેને દોઢ વર્ષની મહેનત બાદ આર્ટિસ્ટે વાસ્તવિક સ્વરૂપ આવ્યું છે. આ ચિત્રોમાં મોહનદાસ કરમચંદ ગાંધીથી મહાત્મા ગાંધી બનવા સુધીની જર્નીને સુંદર રીતે સોફ્ટ પેસ્ટલ પેન્સિલ આર્ટના માધ્યમથી બ્લેક એન્ડ વ્હાઈટ ચિત્રોમાં કંડારવામાં આવ્યાં છે. પોતાના ચિત્રો વિશે વાત કરતા આર્ટિસ્ટ ભરત મેવાડાએ કહ્યું કે, “મને બ્લેક એન્ડ વ્હાઈટ એન્ડ બ્રાઉન કલરનો ઉપયોગ કરીને ચિત્રો બનાવવા ગમે છે. વિશાલાની મુલાકાત દરમિયાન મને અહીંયાની એક વિચાર મળ્યો કે ગાંધીજીના જીવન પર ચિત્રો બનાવું અને ત્યાર બાદ મેં દોઢ વર્ષની મહેનતના અંતે ૨૭ ચિત્રો બનાવ્યા છે. જે આ એક્ઝિબિશનમાં ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ચિત્રોમાં ગાંધીજીના વિચારો, તેમની પ્રતિભા સાથે તેમના જીવનની ઝરમર જોઈ શકાય છે. દિલ્હીમાં ગાંધીસ્મૃતિ અને સાબરમતી આશ્રમમાં જઈને ૫૦૦થી વધુ ગાંધીજીનાં ચિત્રો નિહાળ્યાં ગાંધીજીના વિવિધ ભાવો, વિવિધ ઘટનાઓ સમયે ગાંધીજીની પ્રતિભા જેવા અનેકવિધ વિષયોને ચિત્રોમાં કંડારવા માટે આર્ટિસ્ટે વિશાલા, સાબરમતી આશ્રમ અને દિલ્હી ખાતે આવેલા મહાત્મા ગાંધી સ્મૃતિ ભવનની મુલાકાત લઈને તેમની તસવીરોનો ગહન અભ્યાસ કર્યો હતો. આ આર્ટ પ્રોસેસમાં લગભગ આર્ટિસ્ટ દ્વારા ૫૦૦ તસવીરોને પ્રત્યક્ષ નિહાળ્યા બાદ તેમાંથી ૫૦ તસવીરોને શોર્ટલિસ્ટ કરીને કુલ ૨૭ તસવીરોને ચિત્રોનું સ્વરૂપ આપ્યું હતું. જૈ પૈકીની ૨૭ તસવીરોને પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી.
Advertisement
Advertisement
Advertisement