અમદાવાદ શહેરમાં ડબલ સિઝનને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ડબલ ઋતુને લીધે 20 દિવસમાં જ વાયરલ ઇન્ફેક્શનના 1100 કેસમાં નોંધાયા છે. હવામાન બદલાવાની સાથે લોકોને તાવ, શરદી અને ઉધરસની ફરિયાદ રહેવા લાગી છે અને તેના કેસો ઝડપથી વધી રહ્યા છે. ફેબ્રુઆરીના છેલ્લાં 3 દિવસમાં જ સોલા સિવિલની ઓપીડીમાં 1900 દર્દીઓ આવ્યા હતા. છેલ્લાં દોઢ મહિનાથી વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં દર અઠવાડિયે વધારો થઈ રહ્યો છે. તેમાં પણ છેલ્લા અઠવાડિયે સૌથી વધુ કેસો નોંધાયા છે. વાયરલ ઇન્ફેક્શનના કેસ વધવાની સાથે જ હોસ્પિટલની ઓપીડી 1100થી વધીને 1300 સુધી પહોંચી છે
Advertisement
Advertisement
દેશમાં છેલ્લાં કેટલાક દિવસોથી ઈન્ફ્લૂએન્ઝા H3N2 વાયરસના કેસ વધ્યા
દેશમાં પણછેલ્લાં કેટલાક દિવસોથી ઈન્ફ્લૂએન્ઝા H3N2 વાયરસના ઘણા કેસ વધી ગયા છે. હવામાન બદલાવાની સાથે લોકોને તાવ, શરદી અને ઉધરસની ફરિયાદ રહેવા લાગી છે અને તેના કેસો ઝડપથી વધી રહ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ તેની સારવાર માટે એન્ટીબાયોટિક દવાઓ પ્રિસ્ક્રાઈબ ન કરવા ડૉક્ટરોને સલાહ આપી છે.
સોશિયલ મીડિયા પર IMAએ આપી માહિતી
હવામાનમાં ફેરફાર થવાની સાથે જ લોકોમાં તાવ, શરદી, ઉધરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર માહિતી આપી કે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (NCDC)ના જણાવ્યા મુજબ આ પ્રકારના મોટાભાગના કેસ H3N2 વાયરસના હોઈ શકે છે. આ વાયરસ માટે વાયુ પ્રદૂષણ સૌથી મોટું કારણ હોવાની શક્યતા પણ તેમાં દર્શાવવામાં આવી છે..
એન્ટીબાયોટિક દવાઓ ટાળવા ડોક્ટરોને સલાહ
IMAએ એક નોટિસમાં જણાવ્યું છે કે આ વાયરસ માટે વાયુ પ્રદૂષણ સૌથી મોટું કારણ હોઈ શકે છે. એવામાં તાવ, શરદી કે પછી ઉધરસ થાય તો એન્ટીબાયોટિક દવાઓને પ્રિસ્ક્રાઈબ ન કરવાની સલાહ આપવામાં આવી છે. IMA એ જણાવ્યું છે કે સામાન્ય રીતે તાવ ત્રણ દિવસમાં જતો રહે છે પણ ઉધરસની તકલીફ ત્રણ અઠવાડિયા સુધી યથાવત રહે છે. 50 વર્ષથી વધુ અને 15 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં આવું મોટાભાગે થઈ રહ્યું છે.
ICMRએ પણ ચિંતા વ્યક્ત કરી
વધતા કેસ વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ઈન્ફ્લૂએન્ઝા એ ના સબ ટાઈપ H3N2ને ભારતમાં વધતી શ્વાસની બીમારીનું મુખ્ય કારણ ગણાવ્યું છે. ICMRએ ખૂબ તાવ આવતો હોય અને તે મટતો ન હોય અને સાથે જ શરીરમાં દુઃખાવાની ફરિયાદ હોય તથા ઉધરસ આવતી હોય તો ડૉક્ટરની સલાહ લેવા અને જરૂરી ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો છે. ICMRએ આ નવા ઈન્ફેક્શનને લઈને ગાઈડલાઈન્સ જાહેર કરીને લોકોને આ શરદી અને ઉધરસથી બચવા માટે કોવિડ જેવી સાવધાની રાખવા જણાવ્યું છે.
ડૉક્ટરો પણ બની રહ્યા છે ઈન્ફેક્શનનો ભોગ
ડૉક્ટરોના સંગઠન ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશનના સંસ્થાપક સભ્ય ડૉ. મનીષ ઝાંગડાએ જણાવ્યું કે તેમના સર્કલમાં લભગ 30 ટકા ડોક્ટરો આ વાઈરલ ઈન્ફેક્શનનો ભોગ બન્યાછે. ડૉ. મનીષ ઝાંગડા પોતે છેલ્લાં 20 દિવસથી બીમાર છે. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે.
Advertisement