દહેરાદૂન: ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે 600થી વધુ પરિવારોનું અસ્તિત્વ જોખમમાં છે. જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે 561 ઘરમાં તિરાડ પડી ગઇ છે, જેને લઇને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. આ વચ્ચે રાજ્યની પુષ્કર સિંહ ધામી સરકારે ડેન્ઝર ઝોનમાં પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળે લઇ જવાનો આદેશ આપ્યો છે.લોકોને એરલિફ્ટ કરવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. ઘટનાસ્થળે હેલિકૉપ્ટર્સ આપવામાં આવ્યા છે જેને કારણે લોકોને જલ્દી આસાનીથી રેસક્યૂ કરી શકાય.
Advertisement
Advertisement
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જોશીમઠના લગભગ 600 પરિવારોને રેસક્યૂ કરવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી ધામી જોશીમઠની મુલાકાત કરશે અને અધિકારીઓને લોકોને સુરક્ષિત સ્થળે પહોચાડવાના પ્લાનની સમીક્ષા કરશે. ઘટનાસ્થળે હેલિકૉપ્ટર્સને તૈનાત કરવામાં આવ્યા છે જેથી વધુમાં વધુ લોકોને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળો પર પહોચાડી શકાય. ધામીએ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ભૂસ્ખલનની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ મીડિયાને કહ્યુ કે નાગરિકોનું જીવન બચાવવુ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. અધિકારીઓને જોશીમઠમાં ઘરોમાં રહેનારા લગભગ 600 પરિવારોને સુરક્ષિત સ્થળો પર સ્થળાંતરિત કરવા માટે કહેવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે વાડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજીના ડાયરેક્ટર કાલાચંદ સૈને શુક્રવારે પીટીઆઈ-ભાષા સાથે વાત કરતા ત્રણ મહત્વપૂર્ણ કારણો આપ્યા હતા, જેના કારણે જોશીમઠના પાયાના નબળા પડવાના મામલાને સમજી શકાય છે. કાલાચંદ સેને કહ્યું કે જોશીમઠ ડૂબવાનું કારણ માનવીય અને કુદરતી કારણો હોઈ શકે છે.
સેને કહ્યું કે તેના પરિબળો તાજેતરમાં ઉદભવ્યા નથી પરંતુ તેને બનવામાં ઘણો સમય લાગ્યો છે. સેને કહ્યું, “પ્રથમ પરિબળ એ છે કે જોશીમઠ એક સદી કરતાં પણ વધુ સમય પહેલાં ભૂકંપને કારણે થયેલા ભૂસ્ખલનના કાટમાળ પર વિકસાવવામાં આવ્યું હતું; પાણીનો સતત પ્રવાહ જે થાય છે તે ખડકોને નબળા બનાવે છે.
તેમણે કહ્યું, “1886માં, એટકિન્સે સૌપ્રથમ જોશીમઠની સ્થિતિ વિશે ‘હિમાલયન ગેઝેટિયર’માં ભૂસ્ખલનના કાટમાળ પર લખ્યું હતું. મિશ્રા કમિટીએ પણ 1976માં પોતાના રિપોર્ટમાં જૂના ‘સબસીડન્સ ઝોન’ પર તેના સ્થાન વિશે લખ્યું હતું. કાલાચંદ સેને જણાવ્યું હતું કે હિમાલયની નદીઓ નીચે જવા અને ગત વર્ષએ ઋષિગંગા અને ધૌલીગંગા નદીઓમાં અચાનક પૂર ઉપરાંત વધુ વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હશે.
તેમણે કહ્યું કે જોશીમઠ બદ્રીનાથ, હેમકુંડ સાહિબ અને ઓલીનું પ્રવેશદ્વાર હોવાથી અહીં લાંબા સમયથી બાંધકામની ગતિવિધિઓ ચાલી રહી છે. આ દરમિયાન, તે શહેરના દબાણનો સામનો કરવા સક્ષમ છે કે નહીં તેની પણ કાળજી લેવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે શક્ય છે કે બાંધકામની ગતિવિધિઓને કારણે જોશીમઠના મકાનોમાં પણ તિરાડો પડી ગઈ હોય. તેમણે કહ્યું, “જોશીમઠમાં દરેક જગ્યાએ હોટેલ અને રેસ્ટોરન્ટ બનાવવામાં આવી રહ્યા છે. આ વિસ્તારમાં વસ્તી અને પ્રવાસીઓની ભીડનું દબાણ પણ વધી રહ્યું છે.”
Advertisement