નવી દિલ્હીઃ સંસદના બજેટસત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. સત્રનો બીજો તબક્કો આગામી 6 એપ્રિલ સુધી ચાલશે અને તે દરમિયાન 17 બેઠકો યોજાશે. કાર્યવાહી સુચારૂરૂપે ચાલે તે માટેવજાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનો સાથે બેઠક યોજી હતી.બીજી બાજુ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ વિપક્ષની વ્યૂહનીતિ તૈયાર કરવા માટે અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ દરમિયાન, રાહુલ ગાંધીના ભાષણ અંગે લોકસભા અને રાજ્યસભામાં થયેલા ભારે હોબાળાને લીધે ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
Advertisement
Advertisement
ભાજપા નેતાઓ રાહુલ ગાંધીના નિવેદન પર તેમના વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરી રહ્યા છે. ભાજપા સાંસદ રાજ્યવર્ધન રાઠોડના જણાવ્યા પ્રમાણે કેટલાંક ખેલાડી એવા હોય છે જે પોતાની ટીમના વિરોધમાં કામ કરે છે, તેઓ (રાહુલ ગાંધી) એક એવા ખેલાડી છે. ભારતને બદનામ કરવા માટે આખી દુનિયામાં જૂઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. તેઓ દેશ, દુનિયા માટેપછી વાત કરે, પહેલા તો તેઓ એ બતાવે કે રાજસ્થાનની પરિસ્થિતિ આવી શા માટે છે ?
આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ પણ રાહુલ ગાંધી પર વવળતો પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસની વાતોનો જવાબ આપવાનું સારું લાગતું નથી કારણ કે ટીકા કરવા માટે પણ તર્ક જોઈએ, જે તેમની વાતોમાં નથી હોતો. તે સંસદ ચાલવા નથી દેતા તેને લીધે જરૂરી મુદ્દાઓ પર ચર્ચા થઈ શકતી નથી. ગૃહની કાર્યવાહી સુચારુરૂપે ચાલે તેવી કોંગ્રેસની રુચિ જ નથી.
ભાજપા નેતાઓના નિવેદન વિશે કોંગ્રેસ સાંસદ શશિ થરુરે કહ્યું કે આ હલકી કક્ષાનું રાજકારણ છે. રાહુલ ગાંધીપર આરોપ લગાવી શકાય એવું તેમણે કશું કહ્યું નથી. તમે એમનું નિવેદન જોઈ શકો છો. મને એમાં એવું કશું લાગતું નથી કે જેને લીધે તેમણે માફી માગવાની જરૂર હોય.
Advertisement