ગુરુવારે વિપક્ષે ચીન સરહદ વિવાદ પર ચર્ચાની માંગને લઈને લોકસભામાં હંગામો કર્યો. જેના કારણે લોકસભાની કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી હતી.
Advertisement
Advertisement
પ્રથમ વખત સ્થગિત કર્યા બાદ 12 વાગ્યે કાર્યવાહી શરૂ થતાં જ ગૃહને સ્થગિત કરવું પડ્યું હતું. વિપક્ષ વારંવાર આ મુદ્દે ચર્ચાની માંગ કરી રહ્યો હતો અને પીએમ મોદીને ગૃહમાં બોલાવવાની માંગ કરી રહ્યો હતો.
હંગામા વચ્ચે સ્થાયી સમિતિનો અહેવાલ અને અન્ય દસ્તાવેજો ગૃહના ટેબલ પર મૂકવામાં આવ્યા હતા.
સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ પટેલે સંસદસભ્યોને ગૃહને સુચારૂ રીતે ચલાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે શિયાળુ સત્ર શુક્રવારે સમાપ્ત થશે, અને “ઘણી ચર્ચા” થવાની છે.
તેમણે એમ પણ કહ્યું કે અગાઉ પણ યુપીએના સમયમાં આવા સંવેદનશીલ મુદ્દાઓ પર કોઈ ‘વિસ્તૃત ચર્ચા’ થઈ ન હતી.
તેમણે કહ્યું કે સેનાએ પણ આ સંબંધમાં નિવેદન આપ્યું છે અને “વિપક્ષે ઓછામાં ઓછા સૈન્ય અધિકારીઓના નિવેદન પર વિશ્વાસ કરવો જોઈએ.”
Advertisement