ભદોહી : ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં રવિવારે રાત્રે દુર્ગા પૂજા પંડાલમાં આગ લાગવાથી ત્રણ લોકોના મોત થયા હતા અને 67 લોકો ઘાયલ થયા હતા.
Advertisement
Advertisement
આ દૂર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા 43 લોકોને વારાણસી રિફર કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ લોકોને પ્રયાગરાજની મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભદોહીના જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ રાઠીએ એક ટ્વિટમાં જણાવ્યું કે મૃતકોમાં બે બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે.
બંને બાળકોની ઉંમર 10 થી 12 વર્ષની વચ્ચે હતી જ્યારે મહિલાની ઉંમર આશરે 45 વર્ષની હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે બાલ એકતા ક્લબ નરથુઆ દર વર્ષે જિલ્લાના ઔરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુર્ગા પંડાલનું આયોજન કરે છે. રવિવારે મોડી સાંજે આરતી દરમિયાન પંડાલમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
ઉતાવળમાં ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ પ્રશાસને આગ ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે દુર્ગા પૂજાના આ પંડાલને કાગળ અને થર્મોકોલથી ગુફાના આકારમાં બનાવવામાં આવ્યો હતો. મોડી સાંજની આરતી વખતે અહીં ઘણી ભીડ જોવા મળી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે ઘટનાની તપાસ માટે ચાર સભ્યોની SITની રચના કરવામાં આવી છે.
Advertisement