અમદાવાદઃ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં છેલ્લાં કેટલાક દિવસથી ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ અને કરા પડી રહ્યા છે. બેવડી ઋતુના કારણે લોકોના આરોગ્ય પર પણ અસર પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે ઉનાળાની ઋતુમાં ફરી એક વખત વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી ચાર દિવસ દરમિયાન કમોસમી વરસાદ ચાલુ રહેશે.
Advertisement
Advertisement
રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે છેલ્લાં કેટલાક દિવસમાં મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ સુધી કમોસમી વરસાદ થવાની સંભાવના છે. ત્યારબાદ એક તરફ લોકોને કમોસમી વરસાદથી રાહત મળશે તો બીજી તરફ ગરમીનું પ્રમાણ પણ વધશે.
કયા જિલ્લાઓમાં માવઠાની આગાહી
હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. તે મુજબ 20 માર્ચે અમદાવાદ,અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, મહેસાણા , પાટણ, સાબરકાંઠા, ભરુચ, છોટાઉદેપૂર, ડાંગ, ભાવનગર અને જામનગર, કચ્છ અને રાજકોટ જિલ્લાઓમાં છૂટાંછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે 21 અને 22 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, ભરુચ, સુરત, રાજકોટ, કચ્છ અને અમરેલી જિલ્લાઓમાં છૂટાંછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.
Advertisement