કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમની ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે દ્વારકામાં નેશનલ કોસ્ટલ પોલીસ એકેડમીના કાયમી કેમ્પસનો શિલાન્યાસ કરાયો. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, મોદી સરકાર એજન્સીઓ વચ્ચે તાલમેલ વધારીને દરિયાકાંઠાની સુરક્ષાને અભેદ્ય બનાવી રહી છે.
સરકારે દ્વારકા ખાતે નેશનલ કોસ્ટલ પોલીસ એકેડમી (એનએસીપી)નું કેમ્પસ બનાવવાનો નિર્ણય કર્યો છે.
શાહે કહ્યું કે, એનએસીપીના કાયમી કેમ્પસમાંથી તાલીમનું કામ વધુ સારી રીતે કરવામાં આવશે. હું દિલ્હીમાં શાંતિથી સૂઈ શકું છું કારણ કે બોર્ડર પર બીએસએફ તૈનાત છે. અગાઉ દરિયાકાંઠાની સુરક્ષામાં ખામી હતી તેથી જ 26/11ના રોજ મુંબઈ હુમલા થયા હતા.
દ્વારકા ખાતે આ નેશનલ કોસ્ટલ પોલીસ એકેડમીનું કાયમી કેમ્પસ રુ. 470 કરોડના ખર્ચે બાંધવામાં આવશે, જેમાં બીએસએફ જવાનોના રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ થશે.
અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપા સરકાર સુવિધાઓ વધારવા માટે સતત કામ કરી રહી છે. તાજેતરમાં સુરક્ષા એજન્સીઓએ ભારતીય નૌકાદળમાં 12 હજાર કરોડનું ડ્રગ્સ પકડવાનું કામ કર્યું છે. આનો એર્થ એ થયો કે સુરક્ષા એજન્સીઓની સતર્કતા વધી ગઈ છે. પૂર્વ કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા શાહે કહ્યું કે, અગાઉ આટલું બધું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું ન હતું, હમણાં જ એક જ વારમાં 12 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે. યુપીએ શાસન દરમિયાન 680 કરોડના ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે દ્વારકા પહોંચી દ્વારકાધીશના દર્શન કર્યા હતા. શાહે આ પછી ટ્વિટ કર્યું અને લખ્યું કે ચારધામમાંથી એક ઐતિહાસિક દ્વારકાધીશ મંદિર સદીઓથી સનાતન આસ્થાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણના શ્યામવર્ણી ચતુર્ભુજ સ્વરુપના કેવળ દર્શન કરવાથી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
Advertisement