બ્રિટનમાં પ્રિન્સ ચાર્લ્સના રાજ્યાભિષેકની તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પ્રિન્સ ચાર્લ્સની આવતીકાલે તાજપોશી થવાની છે ત્યારે ભારતીય મૂળના બ્રિટનના બિઝનેસમેન લોર્ડ કરન બિલિમોરિયાએ કહ્યુ કે, બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ ભારત યાત્રા કરવાની ઇચ્છા ધરાવે છે.
રાજ્યાભિષેક પહેલાં બિલિમોરિયાએ સંસદ પરિષદમાં સાંસદોના એક ગૂ્રપ સાથે વાતચીત કરતા આ વિશે વાત કરી હતી. બિલિમોરિયાએ કહ્યું હતું કે, ભારત અને બ્રિટન વચ્ચે મજબૂત થઇ રહેલા સંબંધોને જોતા કિંગ ચાર્લ્સ બહુ જલ્દી ભારતની મુલાકાત લે તે માટે હું અનુરોધ કરું છું. રાજ્યાભિષેકમાં પણ રાજવી પરિવારે લીધેલા નિર્ણય મુજબ ભારતમાંથી લૂંટાયેલો અને હવે બ્રિટન પાસેનો કોહીનૂલ હીરો જોઇ શકાશે નહીં.
Advertisement
Advertisement
ક્વીન કેમિલા રાજ્યાભિષેકમાં જે તાજ પહેરેશે તેમાં કોહીનૂર હીરો નહીં રાખવામાં આવે તેમ જાણકોરોનું માનવું છે. કોહીનૂર હીરાને લઇને રાજવી પરિવાર ભારતમાં સંવેદના ભડકાવવા નથી માંગતો. આ સાથે મુંબઇના ડબ્બાવાળાઓએ પણ કિંગ ચાર્લ્સને પરંપરાગત પૂણેરી પાઘડી અને એક શાલ રાજ્યાભિષેક પ્રસંગને લઇને ભેટ આપી છે. પ્રિન્સ ચાર્લ્સ ડબ્બાવાળાઓના ફેન રહ્યા છે જેને લઇને ભૂતકાળામં પણ ભારત પ્રવાસે તેઓ આવ્યા હતા ત્યારે અચૂક ડબ્બાવાળાઓને મળ્યા હતા જેનાથી ડબ્બાવાળાઓમાં ઘણી ખુશી છે.
Advertisement