અમદાવાદમાં રહેતા હોય અને કાંકરિયા ઝૂની મુલાકાત ન લેવામાં આવે તો અમદાવાદ જવાની મજા જ ન આવે. અમદાવાદના લોકોને હવે કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં આવેલા નવા મહેમાનો જોવા મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાણી સંગ્રહાલય અને મ્યુનિસિપલ ઔરંગાબાદ વચ્ચે વન્ય પ્રાણી અને પક્ષીઓના આદાનપ્રદાન અંગે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હી અને ગુજરાત સરકારની મંજૂરી મળી છે. આ અંતર્ગત અમદાવાદ પ્રાણી સંગ્રહાલય દ્વારા એક નર, બે માદા એમ ત્રણ શિયાળ અને એક નર અનેક માદા એમ કુલ બે ઇમુ, ત્રણ માદા પુનવાલ, પાંચ માદા અને પાંચ નર એમ કુલ ૧૦ શાહુડી આપવામાં આવી છે. આ સામે ઔરંગાબાદ પ્રાણી સંગ્રહાલય દ્વારા અમદાવાદ પ્રાણી સંગ્રહાલયને બે રોયલ બંગાળ વાઘણ, બે નર અને ચાર માદા અમે કુલ છ કાળિયાર આપવામાં આવ્યા છે જે કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં નવા મહેમાનના આગમનથી અમદાવાદીઓને પ્રાણી-પક્ષીઓનું નવું નજરાણું જોવા મળશે. હાલમાં અમદાવાદ પ્રાણી સંગ્રહાલય પાસે એક સફેદ વાઘ હવે તેમાં બે રંજના અને પ્રતિભા એમ બે માદા વાઘણનો સમાવેશ થયો છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. હાલમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સિંહ-સિંહણ ત્રણ, વાઘ-વાઘણ ત્રણ, દીપડા ચાર, એક હાથી, સોળ શિયાળ, બે હિપોપોટેમસ છે. હાલમાં પ્રાણી સંગ્રહાલયમાં વન્ય પ્રાણી-પક્ષીઓની કુલ સંખ્યા બે હજારથી પણ વધારે છે.
Advertisement
Advertisement
Advertisement