ગાંધીનગર: પ્રજાસત્તાક દિને ભારતના પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ એક યાદી બહાર પાડી છે જેમાં આ પોલીસ કર્મચારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પોલીસકર્મીઓમાં ગુજરાતના બે અધિકારીઓને પણ રાષ્ટ્રપતિના હસ્તે મેડલ એનાયત કરવામાં આવશે. આ સાથે 12 પોલીસ અધિકારીઓને પોલીસ મેડલથી નવાજવામાં આવશે.
Advertisement
Advertisement
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નામોની જાહેરાત કરી
ભારતના 901 પોલીસકર્મીઓને પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે. આ પોલીસકર્મીઓમાં વીરતા બદલ 140 પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત 90 પોલીસકર્મીઓને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. ગુજરાત રાજ્યના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોલીસ અધિકારીઓના નામની યાદી જાહેર કરી છે. ગુજરાત તરફથી ADGP અનુપમ સિંહ ગેહલોત અને ATS DSP કે.કે. પટેલને રાષ્ટ્રપતિ ચંદ્રક જ્યારે અન્ય 12 પોલીસ અધિકારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે.
Advertisement