નવી દિલ્હી: કર્ણાટક હિજાબ વિવાદ (Karnataka Hijab Row) કેસમાં સુપ્રીમ કોર્ટના જજોના મંતવ્ય અલગ-અલગ છે. એક જજે કર્ણાટક હાઈકોર્ટ વિરૂદ્ધ અરજીને ફગાવી દીધી છે. બીજા જજે કહ્યું છે કે, હું કર્ણાટક હાઈકોર્ટ વિરૂદ્ધ જઇ રહ્યો છું. તેથી હવે આ કેસ મોટી બેન્ચ પાસે જશે.
Advertisement
Advertisement
જસ્ટિસ હેમંત ગુપ્તાએ હિજાબ પ્રતિબંધને યોગ્ય ઠેરવ્યો છે. જ્યારે જસ્ટિસ સુંધાશુ ધૂલિયાએ કર્ણાટક હાઈકોર્ટના પ્રતિબંધ યથાવત રાખવાનો આદેશ રદ્દ કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટના જજોના શું છે મંતવ્ય?
હિજાબ કેસ પર પોતાનો આદેશ સંભળાવતા જસ્ટિસ ધૂલિયાએ કહ્યું કે, “તે પસંદની વાત છે, કંઇ વધારે નહીં કે કંઇ ઓછું નહીં.” જસ્ટિસ સુધાંશુ ધૂલિયાએ પોતાની અપીલની અનુમતિ આપતા કર્ણાટક હાઈકોર્ટના આદેશને રદ્દ કરી દીધો.
બીજા જજ હેમંત ગુપ્તાએ કર્ણાટક હાઈકોર્ટના આદેશને પડકાર આપનારી અપીલને ફગાવી દીધી હતી, જેને રાજ્યના શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવવાના રાજ્ય સરકારના આદેશને યથાવત રાખ્યો હતો.
આવી રીતના બે અલગ નિર્ણયનો અર્થ શું છે?
સુપ્રીમ કોર્ટના જજોની અલગ-અલગ મંતવ્ય પછી હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટનો નિર્ણય લાગુ રહેશે. કેમ કે એક જજે અરજીને ફગાવી દીધી છે તો બીજાએ હાઇકોર્ટના નિર્ણયને રદ્દ કરી દીધો છે. હાઈકોર્ટનો નિર્ણય ત્યાર સુધી ચાલું રહેશે જ્યાર સુધી કોઈ મોટી બેન્ચનો નિર્ણય ના આવી જાય.
કર્ણાટક હાઈકોર્ટે લગાવ્યો હતો હિજાબ પર પ્રતિબંધ
શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાને લઈને આ આખો વિવાદ કર્ણાટકથી શરૂ થયો હતો.આ કેસ જ્યારે કર્ણાટક હાઈકોર્ટમાં પહોંચ્યો તો 11 ફેબ્રુઆરીએ હાઇકોર્ટે એક વચગાળાના આદેશમાં કહ્યું કે, શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈપણ રીતનું ધાર્મિક પહેરવેશ એટલે કે હિઝાબ પહેરવા પર પ્રતિબંધ રહેશે.
હાઈકોર્ટે 11 દિવસ સુધી ચાલેલી સુનાવણી પછી 25 ફેબ્રુઆરીએ તેના પર પોતાના નિર્ણય સંભળાવ્યો હતો, જેમાં કોર્ટે માન્યું કે, હિજાબ ધાર્મિક પહેરવેશ હોવાના કારણે જરૂરી નથી, તેથી શૈક્ષણિક સંસ્થાઓમાં આને પહેરવાની પરવાનગી આપી શકાય નહીં.
અરજીકર્તાઓએ હાઈકોર્ટેમાં અપીલ કરી હતી કે હિજાબને મહિલાઓનો મૌલિક અધિકાર માનવામાં આવે છે, પરંતુ કોર્ટે અરજીને ફગાવી દીધી હતી. તે પછી કોર્ટે સરકારને આના સાથે જોડાયેલા આદેશ પસાર કરવાનો આદેશ આપ્યો.
આ પણ વાંચો: નોટબંધીના નિર્ણયની સમીક્ષા કરશે સુપ્રીમ કોર્ટ, કેન્દ્ર સરકાર અને RBI પાસે વિગતવાર એફિડેવિટ માંગી
કેવી રીતે શરૂ થયો વિવાદ?
શૈક્ષણિક સંસ્થાઓએ હિજાબ પહેરવાને લઈને આ કેસ ઓક્ટોબર 2021થી શરૂ થયો. પીયૂ કોલેજની કેટલીક વિદ્યાર્થીનીઓ દ્વારા હિજાબ પહેરવા પર વિવાદ શરૂ થયો. 31 ડિસેમ્બરે 2021માં ઉડૂપીની સરકારી પીયૂ કોલેજમાં કેટલીક વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને આવી હતી પરંતુ 6 વિદ્યાર્થીનીઓને ક્લાસમાં આવવા દેવામાં આવી નહતી.
આના વિરોધમાં કોલેજ બહાર વિદ્યાર્થીનીઓએ પ્રદર્શન શરૂ કર્યો અને કેસ સમાચારોમાં ચમક્યો હતો. 19 જાન્યુઆરી 2022માં કોલેજ પ્રશાસને છાત્રાઓ, તેમના વાલીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી પરંતુ બેઠકનું કોઈ જ નક્કર પરિણામ નિકળી શક્યું નહીં. ઉડૂપી જિલ્લો હિજાબ કેસના કેન્દ્રમાં રહ્યું હતું. આ આખા વિવાદમાં યૂપીમાં અનેક જગ્યાઓ પર હિંસાના પણ સમાચાર સામે આવ્યા હતા.
Advertisement