ઇસ્તંબુલ: તુર્કી અને સીરિયામાં શક્તિશાળી ભૂકંપથી 8000 લોકોના મોત થયા છે. તુર્કીમાં 5,884 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 34,810 લોકો ઘાયલ છે. તુર્કીમાં ભૂકંપથી 6 હજાર બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી. આ વચ્ચે બચાવ અને રાહત કાર્યમાં ઠંડી સૌથી મોટો પડકાર બનેલો છે, જેને કારણે બચાવકર્મીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Advertisement
Advertisement
તુર્કીના 10 જિલ્લામાં 3 મહિના સુધી ઇમરજન્સી
AFP અનુસાર, સોમવારે 7.8ની તીવ્રતાના ભૂકંપને કારણે તુર્કીમાં 5,894 લોકોના મોત થયા છે જ્યારે સીરિયામાં આંકડો 1,932 પર પહોચી ગયો છે.
ભૂકંપ પછી દક્ષિણ તુર્કી અને ઉત્તરી સીરિયામાં મોટા સ્તર પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે. બચાવકર્મી ભૂકંપથી પ્રભાવિતોને બચાવવાની દરેક શક્ય મદદ કરી રહ્યા છે. તુર્કી સરકારે આગામી ત્રણ મહિના માટે દક્ષિણના 10 જિલ્લામાં ઇમરજન્સી લગાવી દીધી છે.
તુર્કીમાં 3 મહિના સુધી ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે. અહી તમામ સ્કૂલોને 13 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવામાં આવી છે. આટલુ જ નહી તમામ સરકારી બિલ્ડિંગને શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે. તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ ઇરદુગાને કહ્યુ કે અત્યાર સુધી 70 દેશ અને 14 આંતરરાષ્ટ્રીય સંગઠન મદદ માટે આગળ આવ્યા છે. તુર્કી જ નહી આ આખી દુનિયા માટે આફત છે. તુર્કીમાં 10000 કંટેનરને શેલ્ટર હોમ બનાવવાની તૈયારી કરવામાં આવી છે.
Advertisement