ઇસ્તંબુલ: તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. બન્ને દેશમાં અત્યાર સુધી 23 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના શરણાર્થી એજન્સી અનુસાર, ભૂકંપને કારણે 53 લાખથી વધુ લોકો બેઘર થયા છે. મહત્વપૂર્ણ છે કે ભૂકંપને વિસ્તારમાં સદીની સૌથી મોટી આફતના રૂપમાં જોવામાં આવી રહ્યો છે.
Advertisement
Advertisement
તુર્કી અને સીરિયામાં અત્યાર સુધી કેટલા લોકોના મોત થયા?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુર્કીમાં અત્યાર સુધી 20,200 લોકોના મોત થઇ ચુક્યા છે જ્યારે 45 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. સીરિયામાં 3,400 લોકોના માર્યા જવાની સૂચના છે અને 6 હજાર લોકો ઘાયલ છે. ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં રાહત અને બચાવ કાર્યમાં એક લાખથી વધુ લોકો જોડાયેલા છે અને તુર્કીમાં 26 હજાર લોકોને બચાવવામાં આવ્યા છે. ભારત સહિત આશરે 70 દેશ અહી મદદ માટે આગળ આવ્યા છે.
Advertisement