રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે . રાજ્યમાં આજે 23મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા 305 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે દર્દીઓ 839 સાજા થયા છે. ઘટતા જતા કેસ વચ્ચે પણ આજે 06 દર્દીનાં કરૂણ મોત થયા છે રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે.
આજે અમદાવાદ શહેરમાં કોરોનાના 120 કેસ, વડોદરા શહેરમાં 40, વડોદરા જિલ્લામાં 29, બનાસકાંઠામાં 17, પાટણમાં 11, ગાંધીનગર શહેરમાં 10, સુરતમાં 9, સુરત કોર્પોરેશનમાં 08, ગાંધીનગરમાં 07, રાજકોટ કોર્પોરેશનમાં 07, ડાંગમાં 06, આણંદ, ભરૂચમાં 05,05, કચ્છમાં 04, અમદાાવદ, અમરેલી, દાહોદ, મોરબીમાં 3-3 કેસ નોંધાયા છે.
ગીરસોમનાથમાં, ખેડા, મહેસાણા, પંચમહાલમાં 2-2 કેસ,ભાવનગર શહેર, જામનગર શહેર, મહીસાગર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપીમાં 1-1 કેસ નોંધાયો છે. આજે અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, જૂનાગઢ શહેર, નર્મદા, નવસારી, પોરબંદર, વલસાડમાં શૂન્ય કેસ નોંધાયો છે. આજે રાજ્યના 11 જિલ્લા અને એક મહાનગરમાં કોરોનાનો શૂન્ય કેસ નોંધાયો છે.
રાજ્યમાં આજે કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 3386 પર પહોંચી ગયો છે. આજે 33 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 3353 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 1207284 દર્દીઓ સાજા થયા છે જ્યારે કુલ મૃત્યુઆંક 10911 દર્દીઓ છે.
રાજ્યમાં આજે વડોદરા શહેરમાં 02, ભરૂચમાં 01, સાબરકાંઠામાં 01, ભાવનગરમાં 01 મળીને કુલ 05 મોત થયા છે. જ્યારે આજે કુલ 839 દર્દીઓ સાજા થયા છે. કુલ 1,38,874 દર્દીઓનું રસીકરણ થયું છે. રાજ્યનો રિકવરી રેટ કુલ 98.83 ટકા જેટલો થયો છે.