ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય ગતિવિધિ વધી છે. કોંગ્રેસ પણ ભાજપને ટક્કર આપવા માટે ચૂંટણી પ્રચાર કરી રહી છે પરંતુ આ સાથે જ તેમના નેતાઓ પર હુમલા વધી રહ્યા છે. નવસારી જિલ્લાના ખેરગામમાં કેટલાક અજાણ્યા લોકોએ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમની આંખ પર ગંભીર ઇજા થઇ હતી. સાથે જ તેમની ગાડી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલના સમર્થમાં શનિવાર મોડી રાત્રે પ્રદર્શનકારીઓ ભેગા થઇ ગયા હતા. પ્રદર્શકારીઓએ એક દુકાનમાં આગ લગાવી હતી અને ઘટનાસ્થળે પહોચેલી ફાયરબ્રિગેડની ગાડીમાં તોડફોડ કરી હતી.
અનંત પટેલે આ ઘટનાને લઇને કહ્યુ કે, જ્યારે હું એક સભા માટે નવસારીના ખેરગામ પહોચી રહ્યો હતો તો જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેમના ગુંડાઓએ મારી કારમાં તોડફોડ કરી હતી અને મને માર માર્યો હતો. તે કહી રહ્યા હતા કે તમે આદિવાસી હોવાને કારણે નેતા બની રહ્યા છો, અમે તમને છોડીશું નહી; એક આદિવાસીને અહી ચાલવા નહી દઇએ. અનંત પટેલે પોતાની ઉપર થયેલા હુમલાના વિરોધમાં ધરણા શરૂ કર્યા હતા. અનંત પટેલે કહ્યુ કે ભાજપ સરકારના શાસનમાં જે પણ અવાજ ઉઠાવે છે તેમણે માર મારવામાં આવે છે અને જેલમાં મોકલવામાં આવે છે.
રાહુલ ગાંધીએ કહ્યુ- આ ભાજપ સરકારનો ડર છે
કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપના કાર્યકર્તાઓએ ધારાસભ્ય પર હુમલો કર્યો છે. અનંત પટેલ દક્ષિણ ગુજરાતમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય છે. અનંત પટેલ પાર-નર્મદા-તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધ બાદ ચર્ચામાં આવ્યા હતા. આ હુમલા બાદ રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા ટ્વીટ કર્યુ હતુ. રાહુલ ગાંધીએ લખ્યુ- ગુજરાતમાં પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટ વિરૂદ્ધ આદિવાસી સમાજની લડાઇ લડનારા અમારા ધારાસભ્ય અનંત પટેલ પર ભાજપ દ્વારા હુમલો નિંદનિય છે. આ ભાજપ સરકારનો ડર છે. કોંગ્રેસ પાર્ટીનો દરેક કાર્યકર્તા આદિવાસીઓના હકની લડાઇ માટે અંતિમ શ્વાસ સુધી લડશે.
Advertisement