નવી દિલ્હી: કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરથી શરૂ થઇ ગઇ છે. રાહુલ ગાંધીએ લીલી ઝંડી બતાવીને તેનો પ્રારંભ કર્યો છે. આ યાત્રા 12 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી પસાર થઇને 3570 કિલોમીટરની સફર નક્કી કરશે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા તેને કોંગ્રેસનો મોટો દાંવ માનવામાં આવી રહ્યો છે.
Advertisement
Advertisement
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પત્ર લખીને આ યાત્રાને સંબોધિત કરી છે. પોતાના પત્રમાં સોનિયા ગાંધીએ યાત્રામાં સામેલ નેતાઓને શુભકામનાઓ પાઠવી છે અને ખુદ સામેલ ના થઇ શકવા માટે દુખ પણ વ્યક્ત કર્યો છે.
સોનિયા ગાંધીનો પત્ર
નમસ્કાર…
જ્યારે કન્યાકુમારીથી લઇને કાશ્મીર સુધી કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ શરૂ થઇ રહી છે, ત્યારે સારવાર અને મેડિકલ તપાસને કારણે તમારા લોકો વચ્ચે વ્યક્તિગત રીકે હાજર નથી, આ અસમર્થતા માટે મને દુખ છે. શાનદાર વિરાસત ધરાવતી અમારી મહાન પાર્ટી કોંગ્રેસ માટે આ એક ઐતિહાસિક તક છે. મને વિશ્વાસ છે કે તેનાથી અમારા સંગઠનનું કાયાકલ્પ થશે. ભારતીય રાજનીતિ માટે આ ક્ષણ પરિવર્તનકારી સાબિત થશે.
હું વિશેષ રીતે પોતાના તે 120 સહયોગીઓને શુભેચ્છા આપવા માંગુ છુ, જે લગભગ 3600 કિલોમીટર લાંબી આ પદયાત્રાને પૂર્ણ કરશે. યાત્રા કેટલાક રાજ્યમાંથી પસાર થશે અને તેમાં હજારો નવા લોકો સામેલ થશે, તેમણે પણ મારી તરફથી શુભકામનાઓ.
વૈચારિક અને આત્મિક રીતે હું હંમેશા ‘ભારત જોડો યાત્રા’માં સામેલ રહીશ. નિશ્ચિત જ હું યાત્રાને આગળ વધતા લાઇવ જોઇશ, તો આવો અમે સંકલ્પ લઇએ, એકજૂટ થઇએ અને પોતાના કર્તવ્યો પર દ્રણ રહે. જય હિંદ.
નફરતની રાજનીતિમાં પિતાને ગુમાવી દીધા- રાહુલ ગાંધી
કન્યાકુમારીમાં યાત્રાનો પ્રારંભ કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે નફરત અને ભાગલાની રાજનીતિમાં મે પોતાના પિતાને ગુમાવી દીધા છે. હું પોતાના દેશને તેમાં નહી ગુમાવુ, પ્રેમ નફરતને જીતી લઇશ. આશા ડરને હરાવી દેશે, અમે બધા મળીને હરાવીશું.
Advertisement